શેઠવડાળા ગામના યુવાનનો ઝેરી દવા ગટગટાવી આપઘાત

  • March 23, 2023 07:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામના એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે શેઠવડાળા પોલીસ વધુ તપાસ ચલાવે છે.


જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા અશ્વિનભાઈ નારણભાઈ બથવાર નામના ૩૫ વર્ષના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.


 આ બનાવ અંગે મૃતકના પિતા નારણભાઈ નાથાભાઈ બથવારે પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું, તે જાણવા માટે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application