મનહરપુરમાં યશરાજનગરમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • July 21, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુવાને ગૃહ કલેશ અને દેણું થઈ જવાના લીધે આ પગલું ભરી લીધાનું અનુમાન


શહેરના જામનગર રોડ પર આવેલા મનહરપુર ગામ પાસે યશરાજનગરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. ફર્નિચરનું કામ કરનાર યુવાને ગૃહ કલેશ અને દેણું થઈ જવાના લીધે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મનહરપુર ગામ પાસે યશરાજનગર 2 માં આવેલા દેવ પુષ્પ એપાર્ટમેન્ટ ક્વાર્ટર નંબર 301 માં રહેતા નરેશભાઈ માવજીભાઈ જોકિયા(ઉ.વ 43) નામના યુવાને ગઈકાલ રાત્રિના પોતાના ઘરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી સાથે અહીં પહોંચી યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.


પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરી લેનાર નરેશભાઈને સંતાનમાં એક પુત્ર હોવાનું અને તેઓ વાવડીમાં કારખાનામાં મિસ્ત્રી કામ કરતા હોવાનું માલુમ પડ્યું છે. તપાસમાં નરેશભાઈએ ગૃહકલેસ અને દેણું થઈ જવાના લીધે આ પગલું ભરી લીધું હોવાનું માલુમ પડ્યું છે. જો કે આપઘાતનું સચોટ કારણ જાણવા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application