સાવલી ગામમાં ઘઉંના ભાઠા સળગાવતા તરુણનું અકસ્માતે દાઝી જતાં મૃત્યુ

  • March 28, 2023 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ તાલુકાના સાવલી ગામમાં ઘઉંના ભાઠા સળગાવતી વખતે કરુણ ઘટના બની હતી, અને એક તરુણ નું અકસ્માતે ગંભીર સ્વરૂપે દાજી જતાં કરુણ મૃત્યુ નીપજયું છે.


કાલાવડ તાલુકાના સાવલી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રિયાઝભાઈ આલીભાઈ શમાનો ૧૭ વર્ષનો પુત્ર શાહીમ રિયાઝભાઈ શમા કે જે ગઈકાલે પોતાની વાડીમાં ઘઉંના પાકમાં ભાઠા સળગાવી રહ્યો હતો, તે દરમિયાન પોતે અકસ્માતે અગ્નિજવાળામાં ફસાઈ ગયો હતો, અને આખા શરીરે ગંભીર સ્વરૂપે દાજી જતાં તેને સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. 


આ બનાવ અંગે મૃતક ના પિતા રિયાઝભાઈ શમાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application