જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ઈશ્વરીયા ખાતે બોટિંગનું મોટું આકર્ષણ સહેલાણીઓમાં હોય છે. પરંતુ વડોદરાના હરણી તળાવ ઘટના પછી બધં કરી દેવામાં આવેલી આ સુવિધા હજુ સુધી ચાલુ થઈ નથી અને જન્માષ્ટ્રમીના તહેવારો સુધીમાં તે ચાલુ થાય તેવી કોઈ શકયતા નથી.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમે આ બાબતે મેરી ટાઈમ બોર્ડને પત્ર લખ્યો હતો પરંતુ વોટર એકિટવિટી બાબતની એસઓપી તૈયાર થઈ રહી છે. તે તૈયાર થયા પછી આ સંદર્ભે નિર્ણય લેવાશે તેવો જવાબ આપવામાં આવ્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સમગ્ર રાયમાં ૪૪ જગ્યાએ વોટર એકિટવિટી ચાલતી હતી તેમાંથી હરણીકાંડની ઘટના પછી માત્ર ચાર જગ્યાએ તે ચાલુ છે અને બાકીની તમામ જગ્યાઓએ તે ચાલુ કરવો કે નહીં તેનો નિર્ણય હાઇકોર્ટમાં એસઓપી જાહેર કરાયા પછી લેવાશે.
દરમિયાનમાં અત્યારે તો પ્રાંત ૧ કચેરીનું સમગ્ર તત્રં મેળાની તૈયારીમાં લાગી ગયું છે. મળતી માહિતી મુજબ આગામી તારીખ ૧૮થી સ્ટોલ અને પ્લોટના ફોર્મનું વિતરણ શ કરવામાં આવશે. જૂની કલેકટર કચેરી અને ત્રિકોણબાગ નજીક આવેલ બેંકમાં ફોર્મ વિતરણની કામગીરી કરવા માટેનો તખતો ગોઠવાઈ રહ્યો છે. આ વખતે મેળામાં સ્ટોલ અને પ્લોટની સંખ્યામાં મોટો ઘટાડો કરાતા આવકનું પાસુ સરભર કરવા માટે ભાડામાં ૧૦% જેટલો વધારો કરવાની તૈયારીમાં પણ તત્રં લાગી ગયું હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech