વિદ્યાના ધામમાં બળાત્કારીની પૂજા અને આરતી, આસારામના મોટા બેનરો લગાવી વાલીઓ અને બાળકોને કરાવાઈ "ધરાર ભક્તિ"

  • February 18, 2023 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બળાત્કારી આસારામની વિદ્યાના ધામમાં હર્ષઉલ્લાસથી પૂજા થટી હોવાનો વિડીયો સામે આવતા મોટો વિવાદ સર્જાયો છે. મળતી વિગતો મુજબ બે અલગ અલગ શાળામાં માતા પિતા અને બાળકોને આ રીતે પૂજા અને આરતી કરાવવામાં આવી હતી. કડાણા તાલુકાની શાળામાં પણ માતૃ-પિતૃ પૂજન દિવસના નામે આસારામની પૂજા કરવામાં આવી હતી. મંડપ બાંધી આસારામના મોટો બેનર લગાવી ફોટા મૂકી પૂજા કરવામાં આવી હોવાના વિડીયો પણ વાઇરલ થયા હતા.
​​​​​​​

બળાત્કારના આરોપીની પૂજા સરકારી શાળામાં બાળકો પર તેની કેવી અસર પડશે તેને લઈને પણ અનેક ચર્ચાઓ ઉઠી છે. મહીસાગરના લુણાવાડાની જામાંપગીના મુવાડા પ્રાથમિક શાળામાં પણ આસારામની પૂજા કરાઈ હોવાની બાતમી બાદ તપાસના આદેશ અપાયા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ TPOને તપાસના આદેશ આપ્યાં છે. સમગ્ર મામલે TPO તપાસ કરી રીપોર્ટ સોંપશે. જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આસારામને કોર્ટે બળાત્કારના દોષી ઘોષિત કરી સજા પણ ફટકારી છે. ત્યારે કેટલાક આસારામ અનુયાયીઓએ આસારામના પ્રવચન સંભળાવી ફોટાની પૂજા કરાવવામાં આવી હતી. સમગ્ર બનાવના વીડિયો-ફોટો સામે આવતા વિવાદ સર્જાયો છે. ત્યારે એક બળાત્કારીની આરતી ઉતારવી અને એ પણ સરકારી શાળામાં તે કેટલા અંશે યોગ્ય છે તેવા અનેક સવાલ થઇ રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application