નવી વેરાવળ ગામના મહિલાને વીજ આંચકો ભરખી ગયો

  • March 31, 2023 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં રહેતા માનસિક અસ્થિર એવા ૫૫ વર્ષના મહિલાને બાજુની વાડીમાં ટી.સી. માંથી વીજ આંચકો લાગ્યો હતો, અને તેઓનું કરુણ મૃત્યુ નીપજયું છે.


લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં રહેતા પીન્ટુબા પ્રતાપસિંહ જાડેજા નામના ૫૫ વર્ષમાં મહિલા, કે તેઓ માનસિક અસ્થીરતા અનુભવતા હતા, અને વારંવાર પોતાના ઘેરથી નીકળી જતા હતા.


 દરમિયાન ગઈકાલે તેઓ પોતાના ઘેરથી નીકળીને બાજુની મેમાણા વાડી વિસ્તારમાં ગયા હતા, ત્યાં વિજ ટ્રાન્સફોર્મર માંથી તેઓને એકાએક ભેજ વાળી જમીનના કારણે વીજ આંચકો લાગ્યો હતો, અને તેઓનું સ્થળ પરજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
​​​​​​​
 આ બનાવ અંગે મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application