જ્યારે પણ એરોપ્લેનમાં મુસાફરી કરો છો, ત્યારે નોંધ્યું હશે કે ત્યાં બે પાઇલટ છે જે તેને ચલાવે છે.જ્યારે મુસાફરી લાંબા અંતરની હોય છે, ત્યારે પાઈલટ પણ પ્લેનમાં જ ભોજન લેતા હોય છે.પરંતુ શું જાણો છો કે આ સમયગાળા દરમિયાન, પાઇલટ અને કો-પાઇલટને એકસરખો ખોરાક આપવામાં આવતો નથી. તેની પાછળનું શું કારણ છે?
એક જ વિમાનના બે પાઈલટને અલગ-અલગ ખોરાક કેમ આપવામાં આવે છે?
જ્યારે પણ ફ્લાઇટમાં પાઇલટ અને કો-પાઇલટને ભોજન પીરસવામાં આવે છે, તે અલગ હોય છે. આ વિમાન અને મુસાફરોની સુરક્ષા માટે છે. આ એટલા માટે કરવામાં આવે છે કે જો ખાવામાં કંઈક ગરબડ થઈ જાય, તો બંને પાયલટ બીમાર ન પડે.
સાદી ભાષામાં કહીએ તો ફૂડ પોઈઝનિંગથી બચવા માટે એરક્રાફ્ટના પાઈલટને અલગથી ખોરાક આપવામાં આવે છે. ફ્લાઇટમાં ઘણા મુસાફરો હોય છે અને તેમની સુરક્ષાની જવાબદારી પાઇલટની છે. આવી સ્થિતિમાં જો બંને પાયલટ બીમાર પડે છે તો પ્લેનમાં હાજર તમામ લોકોના જીવ જોખમમાં આવી શકે છે. આ જ કારણ છે કે બંનેને અલગ-અલગ ખોરાક આપવામાં આવે છે.
આવી જ એક ઘટના બની છે
વર્ષ 1984માં લંડન અને ન્યૂયોર્ક વચ્ચે દોડતી કોન્કોર્ડ સુપરસોનિક ફ્લાઈટને પણ આવી જ ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઈટના તમામ 120 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને ગંદા ખોરાક ખાવાને કારણે ફૂડ પોઈઝનિંગ થયું હતું. આ પછી તેને તાવ, ઉલ્ટી અને ઝાડા પણ થયા. ફૂડ પોઈઝનિંગને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું હતું. આ સમયગાળા દરમિયાન પાઇલટ્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને ઘણી મુશ્કેલી સાથે ફ્લાઇટનું લેન્ડિંગ કરવું પડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech