ઉનામાં બસ સ્ટેશન પાસે પાણી ભરાતા લોકોને હાલાકી

  • April 07, 2023 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઊનાના સનખડા ગામના બસસ્ટેશન પાસે મુખ્ય રસ્તા પરજ ગંદાપાણી ભરાતા ત્યાથી પસાર થતા સ્થાનિક લોકો, શાળાના વિદ્યાર્થીઓ, વાહન ચાલકો, રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના ખાબોચ્યુ ભરાયેલ રહેતા ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિક લોકો અને બાળકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઉભુ થવાની સંભાવના હોય જ્યારે રોડનું કામ ચાલતુ હતુ ત્યારે સ્થાનિક લોકોએ અહી પાણી ભરાતુ હોવાની વાત કોન્ટ્રાક્ટરને કરેલ હોવા છતાં આ કામગીરી અંગે ગંભીરતાથી નહી લેવાતા હાલ આ રસ્તા પર ગંદા પાણી ભરાતા સ્થાનિક લોકો અને બાળકો પર ગંભીર બિમારી થવાની સંભાવના હોય આ બાબતે ગ્રામ પંચાયત પોતાની જવાબદારી બજાવતી ન હોય ત્યારે ગ્રામજનોને આ ગંદકી કિચડમાંથી પસાર થવુ પડે છે. આથી આ રસ્તા પર ગંદા પાણીની સમસ્યાના કારણે તાત્કાલીક તંત્ર દ્રારા યોગ્ય કાર્યવાહી કરી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનો અને ગામના જાગૃત નાગરીક દિપસિંહ ગોહીલે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી માંગ કરેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application