ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્ય સરકારે સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન અમલી બનાવ્યું છે. જે અંતર્ગત રાજ્યભરમાં જળસંગ્રહનાં કામો શરૂ થઈ ગયાં છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ૬૫ સ્થળોએ જળસંચયને લગતાં વિવિધ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી હાલ નવાગઢ, લુણાગીરી, ઉમરાળીમાં છ સ્થળોએ કામગીરી શરૂ થઈ ગઈ છે. જેતપુર તાલુકામાં જળસંચયનાં કામો માટે સિંચાઈ યોજના પેટાવિભાગ નં. ૧/૩ (આર.આઈ.પી.ડી.)ના નાયબ કાર્યપાક ઈજનેર વાય. ડી. ભુવાની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. હાલ તેમના નેતૃત્વમાં સમગ્ર તાલુકામાં જળસંચયને લગતા વિવિધ કામો કરવાનું નક્કર આયોજન હાથ ધરાયું છે. જે મુજબ, હયાત તળાવોને ઊંડા કરવા, તૂટેલા ચેકડેમોનું સમારકામ, પાણીની ટાંકીઓ-સમ્પ તેમજ ઇન્ટેક સ્ટ્રક્ચર સહિતની સાફ-સફાઈ, નહેરોની સાફ-સફાઈ, રીઝર્વોયરનું ડી-શિલ્ટિંગ, ખેત તલાવડીઓનું નિર્માણ સહિતની કામગીરી કરાશે. જળસંચયને લગતી આ સમગ્ર કામગીરી વિવિધ વિભાગો દ્વારા તેમજ લોકભાગીદારીથી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech