જ્યારે પણ વજન ઘટાડવાની વાત થાય છે ત્યારે મનમાં પહેલો વિચાર એ આવે છે કે આ માટે કડક ડાયટ ફોલો કરવી પડશે અને જિમ જવું પડશે. પરંતુ જો કહેવામાં આવે કે સ્વાદિષ્ટ ખોરાક ખાવાથી પણ વજન ઘટાડી શકાય છે, તો શું જવાબ હશે? જો રોજિંદા આહારમાં કેલરીની ગણતરી રાખો, તો સરળતાથી વજન ઘટાડી શકો છો. તેમાં કોઈ શંકા નથી કે વજન ઘટાડવામાં ગણિતનો સમાવેશ થાય છે. એવા ખોરાકની પસંદગી કરવી જોઈએ જે ચયાપચયને ઝડપી બનાવે છે અને શરીરને વજન ઘટાડવામાં મદદ કરે છે.
1. કઠોળ
પોષણક્ષમ અને પોષક તત્ત્વોથી ભરપૂર કઠોળ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. કઠોળમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે જેનાથી તે પાચનક્રિયાને ધીમી બનાવે છે. આનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લગતી નથી. લીલા કઠોળમાં કેલ્શિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન એ અને વિટામિન કે પણ જોવા મળે છે જે શરીરને પોષણ આપવાનું કામ કરે છે.
2. સૂપ
ભોજનની શરૂઆત એક કપ સૂપથી કરો. વજન ઘટાડવા માટે આ એક સરસ રીત છે. સૂપમાં ક્રીમ અને બટર જેવી વસ્તુઓનો સમાવેશ ન કરો. સૂપમાં ઘણી બધી શાકભાજી સામેલ કરો જેથી કરીને તે વધુ પૌષ્ટિક બની શકે.
3. ડાર્ક ચોકલેટ
જાણીને નવાઈ લાગશે પરંતુ ચોકલેટથી પણ વજન ઘટાડી શકો છો પરંતુ આ માટે દૂધ અને ખાંડની ચોકલેટને બદલે ડાર્ક ચોકલેટ પસંદ કરવી પડશે. ચોકલેટના એક કે બે નાના ટુકડા પણ ભૂખને સંતોષવામાં મદદ કરે છે.
4. ડ્રાયફ્રુટ
બદામ, મગફળી, અખરોટ અને કિસમિસ જેવા ડ્રાયફ્રૂટ્સ પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે જે શરીરને શક્તિ આપે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. સંશોધન દર્શાવે છે કે જ્યારે લોકો અખરોટ ખાય છે, ત્યારે તેમનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તેઓ વારંવાર ખાવાનું ટાળે છે. આ ઉપરાંત ડ્રાય ફ્રૂટ્સ પણ શરીરના મેટાબોલિઝમને ઝડપી બનાવે છે જેના કારણે શરીર ચરબી ઝડપથી બર્ન કરે છે.
5.દ્રાક્ષ
દ્રાક્ષ ખરેખર વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. યુએસએના સાન ડિએગોમાં સ્ક્રિપ્સ ક્લિનિકના સંશોધકોએ શોધી કાઢ્યું કે જ્યારે મેદસ્વી લોકો દરેક ભોજન પહેલાં દ્રાક્ષ ખાય છે, ત્યારે તેઓ 12 અઠવાડિયામાં સરેરાશ સાડા ત્રણ પાઉન્ડ વજન ઘટાડી શકે છે. તે પોષક તત્વોથી ભરપૂર છે, તેથી તેને આહારમાં ચોક્કસપણે સામેલ કરવું જોઈએ.
દ્રાક્ષમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને એકંદર આરોગ્યને સારું રાખે છે. તેમાં રાસાયણિક સંયોજનો છે જે ઇન્સ્યુલિનના સ્તરને ઘટાડે છે અને વજન ઘટાડવાને પ્રોત્સાહન આપે છે. નેશનલ સેન્ટર ફોર હેલ્થ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, 64 ટકા અમેરિકન પુખ્ત વયના લોકો મેદસ્વી છે. ભારતમાં પણ લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅહી પક્ષી ઘરમાં પક્ષીઓની આવી રીતે રાખવામાં આવી રહી છે સાર સંભાળ!
May 18, 2024 11:56 AMજૂનાગઢ: જવેલર્સનો મેનેજર ૯૧ લાખનું સોનું ઓળવી ગયો
May 18, 2024 11:25 AMજામનગર: કાળઝાળ ગરમીમાં ગ્રેઇન માર્કેટના મજૂરોની હાલત જાણો
May 18, 2024 11:22 AMકેશોદમાં અસહ્ય વેરા મામલે હિતરક્ષક સમિતિ દ્વારા ભૂખ હડતાલ
May 18, 2024 11:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech