વેજ થાળીમાં આવતા ટામેટા, ડુંગળી, ચોખા અને કઠોળના ભાવમાં વધારો જયારે બ્રોઈલરના ઉત્પાદનમાં વધારો થતા ભાવ ઘટ્યા
છેલ્લા એક વર્ષમાં શાકાહારી થાળીની કિંમતમાં ૫%નો વધારો થયો છે, જ્યારે માંસાહારી થાળીની કિંમતમાં ૧૩%નો ઘટાડો થયો છે. ક્રિસિલ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં આ સુચન કરવામાં આવ્યું છે. રોટી રાઇસ રેટ રિપોર્ટ અનુસાર, વેજ થાળીમાં રોટલી, ડુંગળી, ટામેટા, બટાટા, ચોખા, દાળ, દહીં અને સલાડનો સમાવેશ થાય છે. બીજી બાજુ, નોન-વેજ થાળીમાં દાળ સિવાય બધા એલીમેન્ટ્સ વેજ થાળી જેવા જ હોય છે, દાળના બદલે નોન વેજ થાળીમાં ચિકન હોય છે.
આ વર્ષે જાન્યુઆરીમાં વેજ થાળીની કિંમત ૨૮ રૂપિયા હતી જ્યારે ગયા વર્ષે જાન્યુઆરીમાં તે ૨૬.૬ રૂપિયા હતી. નોન-વેજ થાળી માટે, સમાન સમયગાળા દરમિયાન કિંમત રૂ. ૫૯.૯ થી ઘટીને રૂ. ૫૨ થઈ ગઈ હતી. અહેવાલમાં જણાવાયું છે કે વેજ થાળીની કિંમતમાં વધારો થવાનું મુખ્ય કારણ ટામેટા અને ડુંગળીના ભાવમાં વધારો છે, જે ગયા વર્ષમાં અનુક્રમે ૨૦% અને ૩૫% મોંઘા થયા છે. તદુપરાંત, ચોખા અને કઠોળના ભાવમાં પણ અનુક્રમે ૧૪% અને ૨૧%નો વધારો થયો છે.
વેજ થાળીના ખર્ચમાં વધારો એ સંકેત આપે છે કે જાન્યુઆરી ૨૦૨૩ની સરખામણીએ જાન્યુઆરીમાં ખાદ્ય ફુગાવો ઊંચો રહ્યો હતો. જયારે છૂટક ફુગાવો ૬.૫૨% નોંધાયો હતો, જેમાં ખાદ્ય ફુગાવો ૫.૯૪% હતો. લેટેસ્ટ ડેટા આવતા અઠવાડિયે જાહેર થશે. જયારે ડિસેમ્બરમાં છૂટક ફુગાવો ૫.૬૯% હતો અને ખાદ્ય ફુગાવો ૯.૫૩% હતો. નોન-વેજ થાળીની કિંમતમાં ઘટાડો થયો હતો કારણ કે ઊંચા ઉત્પાદનને કારણે બ્રોઈલરના ભાવમાં ૨૬% નો ઘટાડો થયો હતો. નોન-વેજ થાળીની કુલ કિંમતમાં બ્રોઈલરનો હિસ્સો ૫૦% છે.
ડિસેમ્બર ૨૦૨૩ની સરખામણીમાં બંને થાળીની કિંમતમાં ઘટાડો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, " વેજ અને નોન-વેજ થાળીની કિંમત અનુક્રમે ૬% અને ૮% ઘટી છે." ડિસેમ્બર ૨૦૨૩ની સરખામણીમાં ડુંગળી અને ટામેટાંના ભાવમાં અનુક્રમે ૨૬% અને ૧૬%નો ઘટાડો થવાને કારણે આ હળવાશ થઈ હતી. નિકાસ પર અંકુશ અને ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાંથી તાજા ટામેટાંના આગમનને કારણે આ સપ્લાયમાં વધારો થયો હતો. અહેવાલમાં ઉમેર્યું હતું કે, "મહિનામાં બ્રોઈલરના ભાવમાં ૮-૧૦%ના ઘટાડાથી નોન-વેજ થાળીની કિંમતમાં ઝડપથી ઘટાડો થયો છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech