આનંદીબેન પટેલ સાથે વજુભાઈ વાળાની ગુફતેગુ

  • March 02, 2023 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રદર્શનનું ઉદઘાટન કરવા જતા પહેલા આનંદીબેન અને વસુબેન ત્રિવેદી વજુભાઈના બંગલે પહોંચ્યા




ઉત્તર પ્રદેશના ગવર્નર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગઈકાલ સાંજથી રાજકોટમાં આવી પહોંચ્યા છે. ગઈકાલે રાત્રે રોકાણ સર્કિટ હાઉસમાં કર્યા પછી આનંદીબેન પટેલ આજે સવારે અમિન માર્ગ પર કોટેચા નગરમાં આવેલા કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાના નિવાસ્થાને પહોંચ્યા હતા.



વજુભાઈ વાળાના નિવાસસ્થાને આનંદીબેન પહોંચ્યા ત્યારે તેનું સ્વાગત ફુલહારથી વજુભાઈએ કર્યું હતું. આનંદીબેન સાથે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી પણ રહ્યા હતા વજુભાઈ વાળા સાથેની આ મુલાકાત શુભેચ્છા મુલાકાત હતી અને તેમાં કોઈ રાજકીય ચર્ચા ન થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.


વજુભાઈના બંગલે અડધો કલાક સુધી રોકાણ કર્યા પછી આનંદીબેન પટેલ તેની પુત્રી અનાર પટેલ દ્વારા આયોજિત એક્ઝિબિશનના ઉદઘાટન માટે પહોંચી ગયા હતા. આજે બપોરે આનંદીબેન પટેલ દિલ્હી જવા નીકળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application