કાશ્મીરમાં આતંકવાદી હુમલા વિરૂદ્ધ જામનગર વૈષ્ણવ સમાજનો કઠોર નિંદા પ્રસ્તાવ
શ્રી મોટી હવેલીનાં પૂ.વલ્લભરાયજી દ્વારા હિંદુઓને સજાગ થવાનું આહ્વાન તથા કડક પ્રતિક્રિયાનો વડાપ્રધાનને અનુરોધ
જામનગરની શ્રી મોટી હવેલીમાં ગાદીપતિ પુષ્ટી સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકવિ પ.પૂ.ગો. ૧૦૮ શ્રી હરીરાયજી મહારાજની આજ્ઞાથી પ.પૂ.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયની અધ્યક્ષતામાં પૂ. રસાર્દ્રરાયજી તથા પૂ. પ્રેમાદ્રરાયજીનાં સાંનિધ્યમાં જામનગર વૈષ્ણવ સમાજનાં પ્રમુખ વજુભાઇ પાબારી સહિત વૈષ્ણવોની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં તાજેતરમાં કાશ્મીરનાં પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને વખોડી કઠોર નિંદા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠકમાં આતંકવાદી હુમલાનાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
પૂ. વલ્લભરાયજી દ્વારા આ હુમલાનાં અનુસંધાને સમગ્ર હિન્દુ સમાજને સજાગ થવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. તેમણે ભારતમાં હિન્દુઓ સાથે આવી ઘટના બને તેને ચેતવણીરૂપ ગણાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech