સતત બીજા શુક્રવારની ઉત્તરાંચલ એક્સ. ટ્રેનનું નવી દિલ્હીથી આંશિક રૂટ પરિવર્તન

  • February 28, 2023 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાઝિયાબાદ, મોદીનગર, મેરઠ, મુઝફ્ફરનગર, દેવબંદ નહિ જાય


ઉત્તર રેલવેના દેવબંદ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના લીધે કેટલીક ટ્રેનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને જતી ઓખા- દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ સતત બીજા શુ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર તા. ૩. ૦૩. ૨૦૨૩ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ નવી દિલ્હીથી તિલક બ્રિજ- દિલ્હી શાહદરા- નોલી- શામલી- ટપરી થઈને ચાલશે. આથી જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય, તેમાં ગાઝિયાબાદ, મોદીનગર, મેરઠ સિટી, મુઝફ્ફરનગર અને દેવબંદ સ્ટેશનનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application