રહી રહીને જાગ્યા: રાજકોટ યાર્ડમાં હવે ખુલ્લા મેદાનમાં માલ ઉતારવાની મનાઇ

  • May 03, 2023 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં માવઠું વરસ્યું અને ખેડૂતો તેમજ વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી ગયા બાદ હવે પદાધિકારીઓ અને તંત્ર વાહકો રહી રહીને જગ્યા છે અને ખુલ્લા મેદાનમાં માલ ઉતારવાની મનાઇ ફરમાવી છે.
​​​​​​​
વિશેષમાં યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં સૂકા મરચાની આવક બંધ છે એ સિવાય ઘઉં સહિતની તમામ જણસીઓની આવક ચાલુ રાખવામાં આવી છે પરંતુ ખુલ્લા મેદાનમાં માલ ઉતારવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આવકો પ્લેટફોર્મ ઉપર જ ઉતારવામાં આવી રહી છે અને પ્લેટફોર્મ ઉપર સમાઈ તેટલી જ આવકો કરવામાં આવી રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે હજુ પણ માવઠાની આગાહી હોય ખેડૂતોને માલ ઢાંકીને લાવવા માટે સૂચના અપાઈ છે તેમજ કમિશન એજન્ટો અને વેપારીઓને પણ ખુલ્લા મેદાનમાં કે પોતાની દુકાન બહાર રસ્તા ઉપર માલ નહીં રાખવા તાકિદ કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયેલા બેડી યાર્ડમાં પૂરતા પ્લેટફોર્મના અભાવે દર ચોમાસે તો માઠી હાલત થાય જ છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી શિયાળા અને ઉનાળામાં પણ માવઠું વરસી રહ્યું હોય ખેડૂતોની હાલત વધુ માઠી થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application