રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં માવઠું વરસ્યું અને ખેડૂતો તેમજ વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી ગયા બાદ હવે પદાધિકારીઓ અને તંત્ર વાહકો રહી રહીને જગ્યા છે અને ખુલ્લા મેદાનમાં માલ ઉતારવાની મનાઇ ફરમાવી છે.
વિશેષમાં યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં સૂકા મરચાની આવક બંધ છે એ સિવાય ઘઉં સહિતની તમામ જણસીઓની આવક ચાલુ રાખવામાં આવી છે પરંતુ ખુલ્લા મેદાનમાં માલ ઉતારવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આવકો પ્લેટફોર્મ ઉપર જ ઉતારવામાં આવી રહી છે અને પ્લેટફોર્મ ઉપર સમાઈ તેટલી જ આવકો કરવામાં આવી રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે હજુ પણ માવઠાની આગાહી હોય ખેડૂતોને માલ ઢાંકીને લાવવા માટે સૂચના અપાઈ છે તેમજ કમિશન એજન્ટો અને વેપારીઓને પણ ખુલ્લા મેદાનમાં કે પોતાની દુકાન બહાર રસ્તા ઉપર માલ નહીં રાખવા તાકિદ કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયેલા બેડી યાર્ડમાં પૂરતા પ્લેટફોર્મના અભાવે દર ચોમાસે તો માઠી હાલત થાય જ છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી શિયાળા અને ઉનાળામાં પણ માવઠું વરસી રહ્યું હોય ખેડૂતોની હાલત વધુ માઠી થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું હૃદયના દર્દીઓએ વધુ પડતું પાણી ન પીવું જોઈએ, જાણો શું છે સત્ય?
September 20, 2024 04:15 PMભાવનગર -તળાજા માર્ગ પર બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે યુવાન મોત
September 20, 2024 04:13 PMઆ અભિનેતાની મૉડલ બહેન બની બ્રહ્મચારીણી, વ્યવહાર પણ બદલાયો
September 20, 2024 04:12 PMતરસમીયામાં પરિવાર પર કુહાડી અને ધોકાથી હુમલો, સાતને ઇજા
September 20, 2024 04:11 PMરાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ લાલઘૂમ, વિપક્ષી નેતાનું પૂતળું બાળી, માફીની કરી માંગ
September 20, 2024 04:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech