ભાવનગર,-તળાજા હાઈ-વે પર રાજપરા નં ૨ પાસે બોલેરો અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતાં બાઈક સવાર રાજપરા ન. ૨ ગામના માલધારી આલગોતર પરિવારના બે યુવાનો મેહુલભાઈ રત્નાભાઈ અને ભરતભાઈ બાલાભાઈ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકને જોરદાર ટક્કર લાગીને બોલેરો કાર રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી અને બોલેરોની ટક્કરથી ધડાકા સાથે બાઈક રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
રાજપરા નંબર ૨ ગામના બંને યુવાનો વાડીએથી મોટરસાયકલ પર તેના ગામ જતા હતા, તેવામાં તળાજા થી ભાવનગર તરફ જઈ રહેલ બોલેરો કાર સાથે ટક્કર સર્જાતા આ બનાવ બન્યો હતો. આ બનાવો અંગે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMમહારાષ્ટ્રના જાલનામાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત; 17 ઘાયલ
September 20, 2024 06:09 PMભારતના 100 રૂપિયાના સ્લીપરનો આ દેશમાં 1 લાખ રૂપિયા ભાવ
September 20, 2024 05:52 PMમંત્રી શાળામાં જમવા ગયા અને શાકની ડોલમાં શોધતા રહ્યા બટેટા, મધ્યાહન ભોજનની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
September 20, 2024 05:44 PMકુનો અને ગાંધી સાગર વચ્ચે સૌથી મોટો ચિતા સંરક્ષણ કોરીડોર બનશે
September 20, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech