ભાવનગર -તળાજા માર્ગ પર બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે યુવાન મોત

  • September 20, 2024 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર,-તળાજા હાઈ-વે પર રાજપરા નં ૨ પાસે બોલેરો અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતાં બાઈક સવાર રાજપરા ન. ૨ ગામના માલધારી આલગોતર પરિવારના બે યુવાનો મેહુલભાઈ રત્નાભાઈ અને ભરતભાઈ બાલાભાઈ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકને જોરદાર ટક્કર લાગીને બોલેરો કાર રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી અને બોલેરોની ટક્કરથી ધડાકા સાથે બાઈક રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
રાજપરા નંબર ૨ ગામના બંને યુવાનો વાડીએથી મોટરસાયકલ પર તેના ગામ જતા હતા, તેવામાં તળાજા થી ભાવનગર તરફ જઈ રહેલ બોલેરો કાર સાથે ટક્કર સર્જાતા આ બનાવ બન્યો હતો. આ બનાવો અંગે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application