કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ભાવનગર જીલ્લાના બે દિવસીય પ્રવાસે

  • August 11, 2023 12:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

શહેર જિલ્લાના વિવિધ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી ડૉ. માંડવિયા ઉપસ્થિત રહેશે

ભારત સરકારના  આરોગ્ય અને પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર કેબિનેટ મંત્રી ડૉ.મનસુખ માંડવિયા આવતી કાલે તા.૧૧/૦૮/૨૦૨૩ શુક્રવાર અને તા.૧૨/૦૮/૨૦૨૩ શનિવાર બે દિવસ ભાવનગર જીલ્લાના પ્રવાસે આવનાર છે.

કેન્દ્રિય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા બે દિવસના પ્રવાસ દરમિયાન આવતીકાલે સવારે ભાવનગર હવાઈ મથકથી સીધા ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચી કાર્યકતાઓને મળશે, ત્યાર બાદ સિહોર રોડ નવાગામ એપીપીએલ કન્ટેનર પ્રા.લી ખાતે સ્થાનિક ઉધોગપતિઓ સાથે મુલાકાત કરશે.બપોર બાદ પાલિતાણા, વાણીયાવીર, હણોલ ગામના જુદા-જુદા કાર્યક્રમોમાં અને બેઠકોમાં ઉપસ્થિત રહેશે. બીજા દિવસે તા.૧૨મી એ મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં હણોલ પાલિતાણા ખાતે જોડાશે. ત્યાર બાદ ભાવનગર એરપોર્ટ થઈ છત્તીસગઢ જવા રવાના થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application