કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની મળી ધમકી, દાઉદ ઈબ્રાહીમના નામનો પણ ઉલ્લેખ

  • January 14, 2023 07:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. નાગપુરમાં તેની ઓફિસમાં બે વખત ફોન કરીને ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે 11.30 થી 12.30 વાગ્યાની વચ્ચે ધમકીભર્યા કોલ આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે (14 જાન્યુઆરી) 11:30 થી 12:30 ની વચ્ચે ગડકરીના જનસંપર્ક કાર્યાલય પર બે ધમકીભર્યા ફોન આવ્યા હતા, જેમાં ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ અમને ખંડણી નહીં આપે તો કેન્દ્રીય મંત્રી ગડકરીને મારી નાખવામાં આવશે. આ સાથે દાઉદનું નામ પણ લેવામાં આવ્યું હતું.

ત્રણ ધમકીભર્યા કોલ મળ્યા બાદ ગડકરીના જનસંપર્ક કાર્યાલયે આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આ સમયે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ગડકરીની ઓફિસ પહોંચી ગયા છે અને તપાસ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application