રાજકોટમાં વરસાદી માહોલમાં બે યુવકને વીજશોક લાગ્યો: ૧નું મોત

  • June 17, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે પાણીથી બચવા રોડની સાઇડમાં ચાલી રહેલા બે યુવાનને વીજ કરંટ લાગ્યો હતો.જેમાં એક યુવાનનું મોત થયું છે જયારે અન્ય એક યુવાન સારવાર હેઠળ છે.
જાણવા મળતી વિગતો મુજબ,વાવાઝોડાના પગલે ગઇકાલે શહેરમાં ઝંઝાવતી પવન સાથે ભારે વરસાદ વરસયો હતો.આ દરમિયાન બે કમનસીબ ઘટનાઓ બની છે.જેમાં પ્રથમ ઘટનામાં રામાપીર ચોકડી પાસે આવેલી દ્વારકાધીશ હોટલ પાસે રહેતો અમિત ફાબુભાઇ ખુરાના(ઉ.વ ૩૦)નામનો યુવાન ગઇકાલે સાંજે લાખના બંગલા પાસે તેના મિત્ર સાથે ચાલીને જતો હતો દરમિયાન રોડ પણ પાણી ભરેલા હોય તે રોડની સાઇડમાં ચાલતો હતો ત્યારે અહીં લોખંડની સીડીને અડી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મોત થયું હતું. યુવાન ત્રણ બહેન અને એક ભાઇના પરિવારમાં નાનો હોય અને તે કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું હોવાનું માલુમ પડયું છે.
​​​​​​​
જયારે અન્ય એક ઘટનામાં અટીકા ફાટક પાસે ઇન્ડ. એરીયામાં રહેતો સુરેશ સમયભાઇ ચૌધરી(ઉ.વ ૩૨) નામનો યુવાન ગઇકાલે સાંજે રજપુતપરા રોડ પર ખોડીયાર ટ્રાન્સપોર્ટ પાસે ચાલીને જતો હતો ત્યારે રોડની સાઇડમાં વીજ પોલને અડી જતા તેને વીજ કરંટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application