અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર જયપુરમાં CNG ટેન્કર વિસ્ફોટ જેવી ઘટના બની છે. ભમાસરા ગામ પાસે બગોદરાથી બાવળા તરફ જતા કાપડના ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં 4 ભારે વાહનો અથડાતા ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી. આ અકસ્માતમાં 3 વાહન બળીને ખાખ થઈ ગયા છે જ્યારે એક ટ્રકમાં સવાર 2 લોકો ભથડું થઈ જતા તેમના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતાં ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા હતા અને ભીષણ આગ ફાટી નીકળી હતી. બે ટ્રકમાં સવાર બે લોકો ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે.
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર એક ટ્રક જઈ રહ્યો હતો તે દરમિયાન અન્ય ટ્રક ડિવાઈડર કૂદીને સામેની સાઈડ આવ્યો હતો. જેમાં ધડાકાભેર અથડાયા બાદ આગ લાગી હતી અને બે લોકો જીવતા સળગી ગયા હતા. ચોખા, પ્લાસ્ટિક પેપર, સિમેન્ટના ટેન્ક બળીને ખાખ થયા છે. કાપડના રોલ ભરી આવતા ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. હાલમાં પોલીસે ટ્રાફિક દૂર કરીને તપાસ હાથ ધરી છે
કાપડ ભરેલ ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી
મળતી માહિતી મુજબ, બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિકજામ રહ્યો હતો. આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડએ આગ પર કાબુ મેળવ્યો તો પોલીસે ટ્રાફિકજામને હળવો કર્યો હતો. આ તરફ હવે સામે આવ્યું છે કે, કાપડ ભરેલ ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી. આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હતી. ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો તો મૃતક કમલભાઈ તેની જગ્યા પર આવ્યા હતા. નોંધનિય છે કે, અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કમલભાઈનું મોત થયું છે, જ્યારે અન્ય 1 મૃતક કોઈ પેસેન્જર હોવાની વાત સામે આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech