વાંકાનેરનાં ગાયત્રી મંદિર પરિસરમાં ભારે પવનના કારણે બે વૃક્ષો ધરાશાયી

  • June 17, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ભારે પવનના સૂસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પવનનાં કારણે ઘણીબધી જગ્યાએ નાની મોટી નુકસાની અને વૃક્ષો પડી જવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં વાંકાનેર શહેર ખાતે આવેલ ગાયત્રી મંદિર પરિસરમાં પણ ભારે પવનના કારણે બે મહાકાય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.
​​​​​​​
આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ વૃક્ષો ધરાશાયી થઈ જવાની મંદિર પરિસરમાં નાની-મોટી નુકસાની થયેલ છે, હાલ આ બન્ને વૃક્ષોને વરસાદ અને પવન રહ્યા બાદ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે તેવું મંદિર ટીમના રાહુલભાઈ જોબનપુત્રા દ્વારા જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application