રાજકોટથી એનડીઆરએફની બે ટીમ કચ્છમાં રવાના કરાઇ

  • June 14, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવે રાજકોટમાં માત્ર એક ટીમ છે પરંતુ સાંજ સુધીમાં બીજી આવી જશે




રાજકોટ જિલ્લાને વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે એનડીઆરએફની ત્રણ ટીમ ફાળવી હતી. તે પૈકી બે ટીમ તાત્કાલિક અસરથી કચ્છ મોકલી દેવાનો આદેશ ગાંધીનગરથી આવતા બે ટીમને કચ્છ મોકલવામાં આવી હોવાનું અધિક જિલ્લા કલેકટર એસ. જે. ખાચરે જણાવ્યું હતું.



અધિક કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં એનડીઆરએફની ત્રણ ટીમ હતી તે પૈકી બે કચ્છમાં મોકલી દેવામાં આવી છે અને એક ઉપલેટામાં છે.ગાંધીનગરથી વધારાની એક ટીમ આજ સાંજ સુધીમાં રાજકોટ આવી જશે.


રાજકોટમાં એસડીઆરએફની બે ટીમ હતી તે કચ્છમાં મોકલી દેવામાં આવી છે. રાજકોટમાં એરપોર્ટ પર બે હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં મોકલવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application