મોરબીના બૌધ્ધનગરમાં પાણીના ખાડામાં ડૂબી જતાં બે સગીરના કરુણ મોત

  • August 01, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી શહેરના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ પાણી ભરેલ ખાડામાં ડૂબી જતા બે સગીરના મોત થયા છે મોરબી ફાયર ટીમને માહિતીમળતા શોધખોળ ચલાવી હતી જોકે બંને સગીરના મૃતદેહ જ હાથ લાગ્યા હતા
મોરબી નજરબાગ રેલ્વે સ્ટેશન પાછળ પાણીના ખાડામાં બે સગીર ડૂબ્યા હોવાની માહિતી મળતા ફાયર ટીમના અધિકારી દેવેન્દ્રસિંહનામાર્ગદર્શન હેઠળની ફાયર ટીમ દોડી ગઈ હતી અને શોધખોળ હાથ ધરી હતી અને ફાયર ટીમે એકાદ કલાક સુધી શોધખોળ ચલાવ્યાબાદ પણ મૃતદેહો હાથ લાગ્યા હતાફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક સાહિલ સંજયભાઈ શેખાણી (ઉ.વ.૧૭) અને જેશીંગ પ્રફુલભાઈ ધોળકીયા (ઉ.વ.૧૪) રહે બંને વિસીપરા મોરબી વાળા હોવાનું જાણવા મળ્યું છે તો ફાયર ઓફિસર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ઘટનાસ્થળ પાસે બાઈકપડ્યું હોય જેથી સ્થાનિકોએ જાણ કરી હતી અને ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી
​​​​​​​
અને શોધખોળ ચલાવતા એક મૃતદેહ મળી આવ્યો હતો જેથી અન્ય કોઈ સાથે હોય તેવી શક્યતાને ધ્યાને લઈને વધુ સર્ચ કરવામાંઆવ્યું હતું અને બીજા સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો જોકે બંને સગીર વિસીપરાના રહેવાસી હોય અને બૌધ્ધ્નગર પાછળ આવેલપાણીના ખાડામાં શું કરવા ગયા હતા તે હાલ સ્પષ્ટ થયું નથી બંને સગીર ન્હાવા પડ્યા હતા કે અન્ય કારણ તે દિશામાં પોલીસે તપાસચલાવી છે હાલ બંને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ ટીમ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application