કોડીનારના ગોવિંદપુર ભંડારિયા ગામે બે દીપડાના મૃતદેહ મળ્યા

  • December 20, 2023 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર તાલુકાના ગોવીંદપુર ભંડારીયા ગામે પ્રતાપભાઈ મેરૂભાઇ બારડ રહેવાસી સીંધાજ ની વાડી માં ઉભેલ શેરડી ના વાડ પાસે ૨ દીપડા ના મૃતદેહ જોવા મળતા વાડી માલિકે વન વિભાગને જાણ કરતા વિભાગના જામવાળા રાઉન્ડના ફોરેસ્ટર એ.કે.અમીન,રાઉન્ડ ફોરેસ્ટર રવિભાઈ મોરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી બન્ને  દિપડાઓના મૃતદેહની આસપાસનો વિસ્તાર કોર્ડન કરી તપાસ કરતા વાડી પાસે આવેલ એક મંદિરની નજીક વિશાળ પીપળા ના ઝાડ પાસે થી ૧૧ કે.વી ની વીજ લાઈન પસાર થતી હોય તેમજ વાડી ની આસપાસ તપાસ કરતા બંને દીપડાઓના ફૂટમાર્ક પણ જોવા મળેલ તેમજ સાથે આ પીપળાના ઝાડ પર બંને દીપડાઓ ચડ્યા હોવાના નખના નિશાન પણ જોવા મળે છે. ત્યારે હાલ વન વિભાગ એ બંને દીપડાઓ ઇનફાઇટ  દરમિયાન ઝગડતા ઝગડતા પીપળાના ઝાડ પર ચડ્યા હોય તે સમયે જ બાજુમાંથી પસાર થતી ૧૧ કે.વીની વીજલાઇનમાં અડી જતાં બંને દીપડાઓના વીજ કરંટ થી  કરુણ મૃત્યુ નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે સ્થળ પરના  ફૂટમાર્ક,ઝાડ પર મળેલા નખ ના નિશાન તેમજ જે જગ્યા પર વીજ કરંટ લાગ્યો તે વાયર પરથી દીપડાની ચામડીના રુવાટીના  નિશાન સહિતના અવશેષો કબ્જે કરી બંને દીપડાઓના મૃતદેહને  જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વનતંત્ર એ આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application