ચામુંડા તળેટી વિસ્તારમાં બે આખલાએ આતંક મચાવ્યો: ત્રણ દુકાનોમાં તોડફોડ

  • February 27, 2023 05:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાત્રાધામ ચામુંડા તળેટી વિસ્તારમાં રવીવારનાં બે આખલાઓએ આંતક મચાવતા અફડાતફડી મચી ગયેલ હતી જેમા લડતા આખલાઓએ ત્રણ દુકાનદારોને આર્થિક નુકશાન વેઠવું પડેલ હતું સદનસીબે જાનહાની ટળી હતી
​​​​​​​
ચોટીલામાં રખડું પશુઓના ત્રાસ માંથી લોકોને મુક્તિ અપાવવામાં તંત્ર નિષ્ફળ ગયેલ છે અવાર નવાર આખલાનો તરખાટનો અનેક લોકો ભોગ બન્યા છે ત્યારે ચામુંડા તળેટી વિસ્તારમાં રવિવારનાં ભરચક યાત્રિકો વચ્ચે બે આખલાનું યુધ્ધ છેડાતા નાસભાગ મચી હતી અને લોકો હડફેટે ચડતા બચી ગયેલ હતા.જોકે આ આખલાના તરખાટમાં તળેટી બજારની ત્રણ દુકાનો ઝપટે ચડી હતી રમકડા, પ્રસાદ અને શ્રીફળની દુકાનોમાં લડતા લડતા ઘુસેલા આખલાએ દુકાનમાં રહેલ માલ સામાનને આખલાઓએ નુકશાન પહોચાડી વેર વિખેર કરી નાખતા દુકાનદારોને આર્થિક નુકશાન પહોંચાડે છે.સ્થાનિક લોકો આવા રખડુ પશુઓને ડબ્બે પુરવામાં કોઇ તંત્ર વાહકોએ પગલા લીધા નથી શહેરના અનેક લોકો આખલાઓનો ભોગ બનેલ છે કેટલાય ને ભાગ તુટ અને ઇજાઓ પણ પહોંચેલ છે તેમ છતા બિન વારસી રખડું પશુઓ સામે કતંત્ર નિષ્ફળ ગયેલ હોવાનો સ્થાનિકોનું કહેવું છે.ચામુડા તળેટીમાં દરરોજ હજારો યાત્રીઓ આવે છે સતત લોકોની અવર જવર રહે છે ત્યારે આ પશુઓ કોઇ યાત્રિક માટે જીવલેણ બને તે પહેલા તંત્ર પગલા ભરે તેવી તળેટી વિસ્તારનાં ધંધાર્થીઓએ માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application