સાંજે ઘર પાસેથી ગૂમ થઈ ગઈ, રાત્રે પ્લાસ્ટિકની બેગમાં લાકડાં નીચે છૂપાવેલો મૃતદેહ મળ્યો, સીસીટીવીમાં બિહારી શખસ બાળકીને લઈ જતો દેખાયો: પાંચથી વધુ સકંજામાં: ફોરેન્સિક પીએમ માટે લાશ રાજકોટ ખસેડાઈ
જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની અઢી વર્ષની બાળકી ગઈકાલે સાંજે લાપત્તા થયા બાદ રાત્રે પ્લાસ્ટિકની કોથળીમાં વીંટળાયેલી હાલતમાં બાળકીની લાશ મળી હતી. બાળકીની હત્યા કરી લાશ દાટી દીધી હોય અને બાળકી સાથે દુષ્કર્મ થયાની આશંકાએ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જેતપુર પોલીસે આ ઘટના સંદર્ભે બિહારી શખસ સહિત પાંચથી વધુ ઈસમોને સકંજામાં લીધા હોવાનું જાણવા મળે છે.
ઘટનાની પોલીસના સૂત્રોમાંથી પ્રા થયેલી માહિતી મુજબ જેતપુરમાં સામાકાંઠે જનકલ્યાણનગરમાં રહેતો બિહારનો વતની પંકજસિંગ યાદવ દોઢેક મહિનાથી જેતપુરમાં પરિવાર સાથે રહેવા આવ્યો છે અને સાડીના કારખાનામાં કામ કરે છે. ગઈકાલે રામનવમીની રજા હતી, પરિવાર ઘરે હતો, તેની અઢી વર્ષની બાળકી રિયા ઘર પાસે રમતી હતી તે દરમિયાન પાંચેક વાગ્યે અચાનક ગાયબ થઈ ગઈ હતી.
બાળકી જોવા ન મળતા પરિવારજનોએ આસપાસમાં બધે શોધખોળ હાથ ધરી હતી. આમ છતાં બાળકીની કોઈ ભાળ મળી ન હતી. જેતપુર પોલીસને બાળકી ગૂમ થયા અંગે જાણ કરાઈ હતી. પીએસઆઈ કે.વી. પરમાર સહિતના સ્ટાફે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલીક તપાસ આરંભી હતી. બાળકીનો પરિવાર જે કારખાના વિસ્તારમાં રહેતો હતો ત્યાંના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.
આ કેમેરામાં પોલીસને બાળકીને બિહારી શખસ લઈ જતો હોવાનું દેખાયું હતું જે શખસ પંકજસિંગ જે કારખાનામાં નોકરી કરે છે ત્યાંથી ત્રણ કારખાના દૂર આવેલા કારખાનામાં નોકરી કરતો હતો અને ત્યાં જ રહેતો હતો તેવી વિગતો મળી હતી. પોલીસ ત્યાં પહોંચી હતી. બિહારી શખસને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરાઈ હતી. કારખાનાના કમ્પાઉન્ડમાં જ લાકડાના ઢગલા નીચે પ્લાસ્ટિકની કોથળીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીને બિહારી શખસ ચોકલેટ કે આવી કોઈ લાલચ આપી લઈ ગયો હતો અને ત્યારબાદ રાત્રીના દશેક વાગ્યે બાળકીની લાશ મળી હતી જેથી બાળકીને કોઈપણ કારણોસર હત્યા નિપજાવી અથવા તેની સાથે કંઈપણ અઘટિત કૃત્ય–દુષ્કર્મ થયું હોય અને બાળકીનું મૃત્યુ નિપયું હોય તેવી પણ પોલીસને આશંકા ઉપજી હતી.
બાળકીના શરીર પર કપડાં પહેરેલા હતા પરંતુ નાકમાંથી લોહી વહી ગયું હતું. અન્ય કોઈ શરીરના બાહ્ય ભાગે ખાસ ઈજા દેખાઈ ન હતી. મૃત્યુનું કારણ જાણવા માટે મૃતદેહને જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, ત્યાં ફોરેન્સિક પીએમ શકય ન હોવાથી આજે વહેલી સવારે બાળકીના મૃતદેહને લઈને જમાદાર મજનુભાઈ મનાત સહિતનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. ફોરેન્સિક પીએમ થયા બાદ બાળકીના મોતનું ચોકકસ કારણ બહાર આવશે તેની સાથે દુષ્કર્મ થયું હતું કે કેમ ? તે પણ રિપોર્ટ બાદ જ ખૂલવા પામશે તેવું પોલીસે જણાવ્યું છે. હાલના તબકકે આવા કોઈ કારણોસર જ હત્યા થઈ હોઈ શકે તેવી આશંકાઓ દર્શાવાઈ રહી છે.
બીજી તરફ પોલીસે જે શખસ બાળકીને લઈ જતો હતો તેને ઉપરાંત કારખાનામાં સાથે કામ કરતાં અન્ય ચારથી પાંચ પરપ્રાંતિય શખસોને સકંજામાં લઈને પૂછતાછ હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ આરોપીઓ સામે કાર્યવાહી આરંભાશે.
રામનવમીની રજા હોવાથી કારખાનામાં કોઈ હતું નહીં
ગઈકાલે રામનવમીની રજા હોવાથી કારખાનામાં રજા પડાઈ હતી જેથી કારખાના માલિક કે કોઈ જવાબદારો હાજર હતા નહીં. કારખાનામાં નોકરી કરતા પરપ્રાંતિય શ્રમિકો કમ્પાઉન્ડમાં બંધાયેલી ઓરડીમાં રહે છે. ગઈકાલે અન્ય શ્રમિકો રથયાત્રા જોવા માટે ગયા હતા. યારે બાળકીને લઈ જનાર શખસ કારખાનામાં હતો.
સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ અને પોલીસને કડી મળી
બાળકી ગૂમ થયા બાદ તેના પરિવારજનોએ શોધખોળ આદરી હતી પરંતુ મોડીસાંજ સુધી કોઈ પતો લાગ્યો ન હતો. પોલીસને જાણ કરાતાં પોલીસ માટે ત્યાંના સીસીટીવી કેમેરા મદદરૂપ બન્યા હતા. નજીકના કારખાનામાં રહેતો બિહારી શખસ બાળકીને લઈને જતો દેખાયો હતો અને પોલીસ મુળ સુધી પહોંચી હતી.
કદાચિત લાશને સગેવગે કરી નાખવાનો પણ ઈરાદો હશે
બાળકીની જે રીતે લાશ મળી છે તે જોતા હત્યા નિિત છે કારણ કે, પ્લાસ્ટિકની કોથળીમાં વીટળાયેલી અને લાકડાના ઢગલા નીચે છૂપાવેલી હાલતમાં લાશ મળી હતી તે જોતા બાળકીનું મૃત્યુ થયા બાદ લાશને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને છૂપાવી દીધી હતી. કદાચિત આરોપીનો એવો ઈરાદો હોઈ શકે કે મોકો મળ્યા બાદ પ્લાસ્ટિકની કોથળી લાકડાના જથ્થા નીચેથી કાઢીને આ લાશને સળગાવી દેવી અથવા તો અન્યત્ર ફેંકી દેવી જેથી પોતાના પાપનો ઘડો બહાર ન આવે. 'જો' અને 'તો' જેવી વાતો હાલ વહેતી થઈ છે. મૃતકના પિતા અને આરોપી બન્ને બિહારના વતની હોવાથી બન્ને વચ્ચે કોઈ કારણોસર ખટરાગ ચાલતી હોય અને બદલો લેવા પણ આવું કૃત્ય કરાયું નથી ને ? તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબસ આટલા જ સમયમાં ચેમ્પિયન્સ પહોંચી જશે ભારત
July 03, 2024 04:23 PMનાસભાગની ઘટનાઓ કેવી રીતે ટાળી શકાય?, જાણો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની માર્ગદર્શિકા
July 03, 2024 04:21 PMમ્યુચ્યુઅલ ફંડ ખરીદતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન, નહીં તો થશે નુકસાન
July 03, 2024 04:05 PMઈટસ અમેઝિંગ! ઓરિસ્સામાં ખુલ્યું હાથી માટેનું રેસ્ટોરન્ટ
July 03, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech