ત્રણ સભ્યોની કમિટીએ આરોપોની તપાસ શરૂ કરી, મામલો સંવેદનશીલ હોવાથી જજનું કરાવાયું ટ્રાન્સફર
ત્રિપુરાના ધલાઈ જિલ્લામાં એક બળાત્કાર પીડિતાએ આરોપ લગાવ્યો છે કે કોર્ટમાં જજે તેની ચેમ્બરમાં તેનું યૌન શોષણ કર્યું હતું. એક વરિષ્ઠ વકીલે રવિવારે આ માહિતી આપી હતી. વકીલના જણાવ્યા અનુસાર, ધલાઈ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ગૌતમ સરકારની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની સમિતિએ આ આરોપોની તપાસ શરૂ કરી છે. પીડિત મહિલાનો આરોપ છે કે યૌન શોષણની ઘટના ૧૬ ફેબ્રુઆરીએ બની હતી. જ્યારે તે કમાલપુરના ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં તેની સામેના બળાત્કારના કેસના સંદર્ભમાં તેનું નિવેદન નોંધવા ગઈ હતી.
એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કમાલપુરને કરેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે ૧૬ ફેબ્રુઆરીએ હું નિવેદન નોંધવા ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં ગઈ હતી. જ્યારે હું મારું નિવેદન આપવાની હટી ત્યારે જજે મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. હું તેની ચેમ્બરમાંથી બહાર આવી અને વકીલો અને મારા પતિને ઘટનાની જાણ કરી. આ ઘટના અંગે મહિલાના પતિએ કમાલપુર બાર એસોસિએશનમાં અલગથી ફરિયાદ પણ નોંધાવી છે.
સોમવારે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ વિશ્વજીત પાંડે દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આરોપને ધ્યાનમાં રાખીને આરોપી મેજિસ્ટ્રેટને અગરતલા હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉપરાંત આરોપી મેજિસ્ટ્રેટને નવા પોસ્ટિંગ માટે ફરજિયાત તરીકે યાદીમાં રાખવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સબ-ડિવિઝનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મધુમિતા બિસ્વાસને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. ધલાઈના પોલીસ અધિક્ષક અવિનાશ રાયે મંગળવારે કહ્યું, 'અમને સોમવારે રાત્રે કમાલપુર પોલીસ સ્ટેશનમાં મેજિસ્ટ્રેટ વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ મળી છે. જો કે હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. મામલો સંવેદનશીલ હોવાથી પોલીસે તેને કાયદેસરની કાર્યવાહી માટે હાઈકોર્ટમાં મોકલી આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech