ભાવનગર : સિંધુનગરમા આવેલા બે મંદિરોને તસ્કર નિશાન બનાવ્યા

  • February 04, 2023 05:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

દાનપેટી તોડી રોકડ-પરચૂરણ વસ્તુઓ મળી કુલ રૂ.૧૦ હજારની મત્તાની ચોરી : ચોરની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ


ભાવનગર શહેરના સિંધુનગરમા આવેલા કકુરામ મંદિર અને ભાઈ સાહેબ બખતરામ મંદિર ને તસ્કરો એ વહેલી સવારે નિશાન બનાવી દાનપેટી માથી રોકડની ચોરી કરી ફરાર થઈ જતાં ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંઘ કરવામાં આવી હતી


આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના સિંધુનગરમા આવેલા કકુરામ મંદિર તથા ભાઈ સાહેબ બખતરામ મંદિરમાં થવા પામી છે જેમાં અજાણ્યો શખ્સ વહેલી પરોઢે ચારેક વાગ્યાના સમયે બંધ મંદિરના તાળા તોડી મંદિરમાં પ્રવેશી દાનપેટી તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દાનપેટી ન તૂટતાં મંદિરમાં રહેલી ચિજવસ્તુઓ ઉઠાવી હતી અને બાજુમાં આવેલ ભાઈ સાહેબ બખતરામ મંદિરમાં પ્રવેશી દાનપેટી તોડી રોકડ રકમ ચોરી ફરાર થઈ ગયો હતો આ ચોરની કરતૂતો મંદિરમાં રાખેલ સીસીટીવી કેમેરા માં આબાદ કેદ થઈ હતી સવારે દર્શને આવતા શ્રદ્ધાળુઓને આ બાબતની જાણ થતાં પોલીસે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી આ બંને મંદિર માથી અંદાજે રૂપિયા ૧૦ હજારની મત્તાની ચોરી થવા પામી હોવાનું જાણવા મળ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application