ભાવનગર : દેવરાજનગર વિસ્તારના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

  • June 26, 2023 12:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

તસ્કરો ટીવી એર કુલર ઘરઘંટી રોકડા રૂપિયા અને ચાંદીના ઘરેણા મળી કુલ રૂપિયા ૨૧,૫૦૦ નો મુદ્દામાલ ઉઠાવી નાસી છૂટ્યા 


મૂળ ભાવનગરના વતની અને હાલ વડોદરા ઝાઈડસ કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા યુવાન પિતાના નિધન બાદ ભાવનગરનું ઘર બંધ કરી માતાને સાથે લઈ વડોદરા ખાતે જતા રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ કર ને નિશાન બનાવી મેઇન દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી ટીવી એર કુલર ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયાની કરી નાખી ભરત નગર પોલીસ મથકમાં નોંધાઈ હતી


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેર દેવરાજ નગર એક ખાતે આવેલા પ્લોટ નંબર ૮૯ ખાતે રહેતા અને વડોદરા ખાતે આવેલી જાઈડસ ફાર્મા માં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા વૈભવભાઈ દિલીપભાઈ ભટ્ટ પિતાના નિધન બાદ વિદીપૂર્ણ કરી માતાને સાથે લઈ વડોદરા ખાતે ભાવનગર ખાતે આવેલું દેવરાજ નગરનું મકાન બંધ કરી જતા રહ્યા હતા તે દરમિયાન

 કોઇ અજાણ્યા તસ્કરો વૈભવભાઈના રહેણાંક મકાનના મેઇન બારણનાનુ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી બેઠક રૂમમાં સોની કંપનીનુ ટીવી ૪૧ ઇંચનુ આશરે કિ.રૂ. ૧૫,૦૦૦ તથા સફેદ કલરનું બ્લોવર ફેન (કુલર ફેન)  કિ.રૂ.૧,૦૦૦ તેમજ બેડરુમમાં રાખવામા આવેલ નટરાજ કંપનીની ઘરઘંટી કે જેની ઉપર સનમાયકામાં ફુલોની ડિઝાઇન વાળી હતી  કિં.રૂ.૩૫૦૦ અને કબાટના તીજોરીના ખાનામાં રાખેલ ચાંદીની ભગવાન ગણેશની ત્રણ ઇંચની પ્રતિમા રૂ.૨૦૦૦ ની મળી કુલ રૂ.૨૧,૫૦૦ ની મત્તાની ચોરી કરી અજાણ્યો તસ્કરો નાસી છૂટયા હોવાની ફરિયાદ નોંધાવી હતી 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application