બિલ્કીસ બાનો કેસના 3 દોષિતો પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, કરી આ માંગ

  • January 18, 2024 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોવિંદ નાઈએ ૪ અઠવાડિયાના એક્સટેન્શનની માંગ કરી, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાએ અગંત કારણોસર ૬ અઠવાડિયાનો સમય માંગ્યો 


બિલ્કીસ બાનો કેસમાં ત્રણ દોષિતોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે શરણાગતિનો સમયગાળો વધારવા માટે કોર્ટને અપીલ કરી છે. આ દોષિતોએ વ્યક્તિગત કારણોને ટાંકીને થોડો સમય મુક્તિ માંગી છે. ગુજરાતના બહુચર્ચિત બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ૦૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બીવી નાગરથનાની બેન્ચે બિલ્કીસ બાનો કેસમાં ૧૧ દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. આટલું જ નહીં, સુપ્રીમે પોતાના નિર્ણયમાં તમામ દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું.

૧૧ માંથી ત્રણ દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આત્મસમર્પણનો સમય વધારવાની માંગ કરી છે. ગોવિંદ નાઈએ કોર્ટ પાસે ૪ અઠવાડિયાના એક્સટેન્શનની માંગણી કરી છે જ્યારે મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાએ ૬ અઠવાડિયાના એક્સટેન્શનની માંગ કરી છે. આ ગુનેગારોએ તેમના પોતાના અંગત કારણો ટાંક્યા છે.

૨૦૦૨માં ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. આ પછી ગુજરાતમાં રમખાણો ફેલાઈ ગયા. જેની ઝપેટમાં બિલ્કીસ બાનોનો પરિવાર પણ આવી ગયો. બિલ્કીસ બાનો પર માર્ચ ૨૦૦૨માં ટોળાએ બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે બિલ્કીસ ૫ મહિનાની ગર્ભવતી હતી. એટલું જ નહીં ટોળાએ તેના પરિવારના ૭ સભ્યોની હત્યા કરી નાખી હતી. બાકીના ૬ સભ્યો ત્યાંથી ભાગી ગયા હતા.

સીબીઆઈ કોર્ટે આ કેસમાં ૧૧ લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. આમાંના એક દોષિતે ગુજરાત હાઈકોર્ટમાં માફીની નીતિ હેઠળ તેને મુક્ત કરવાની માંગણી કરીને અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી. આ પછી દોષિતોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. મે ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ મામલે નિર્ણય લેવા જણાવ્યું હતું. આ પછી, ગુજરાત સરકારે રિલીઝ અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિની ભલામણ પર ગુજરાત સરકારે તમામ ૧૧ દોષિતોને મુક્ત કર્યા હતા.

જસવંત નાયી, ગોવિંદ નાયી, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપીનચંદ્ર જોષી, કેસરભાઈ વહોણીયા, પ્રદીપ મોરદહિયા, બકાભાઈ વહોણીયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાને મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે મુક્તિનો નિર્ણય રદ કર્યો છે. હવે વહેલી તકે દોષિતોને ફરી જેલવાસ ભોગવવો પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application