ભાવનગર : જીએસટી નંબર મેળવી છેતરપિંડી આચરવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સો ઝડપાયા

  • September 02, 2023 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે નીલમબાગના બે અલગ અલગ નોંધાયેલા ગુનામાં ત્રણ શખ્સોને ઝડપી લીધા


ભાવનગર શહેર સહિત અમરેલી માં ગરીબ લોકો પાસેથી આધાર કાર્ડ મેળવી ખોટા જીએસટી નંબર મેળવી સરકાર સાથે છેતરપિંડી આચરવાના આઠ જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાહો નોંધવામાં આવ્યા હતા આ ગુના વિશેષ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી જ્યારે નીલમબાગ પોલીસ મથકના અલગ અલગ બે ગુનાહોમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ઝડપી લીધા હતા અને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે

આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર સહિત અમરેલી જિલ્લામાં પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી આધાર કાર્ડ મેળવી ખોટા જીએસટી નંબર ઊભા કરી સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરાથી હતી અને ભાવનગર અમરેલી અને સાયબર ક્રાઇમ સહિત અલગ અલગ સ્થળોએ આઠ જેટલા ગુનાહો નોંધવામાં આવ્યા હતા. આ ગુના વિશેષ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બાગ પોલીસ સ્ટેશનના નોંધાયેલા બે અલગ અલગ ગુનામાં સંડોવાયેલા મહાવીરસિંહ ગગજીભાઈ પરમાર શાહરુખ ઉર્ફે ભૂરો યુનુસભાઈ પઠાણ અને અહેમદ હુસેન ઉર્ફે બાદશાહ ઇસ્માઈલભાઈ કંટારીયા ને ઝડપી લીધા હતા ઝડપાયેલા ત્રણે શખ્સોને રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application