ભાવનગર જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ત્રણ એનિમલ એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ

  • January 13, 2023 06:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

૧૯૬૨ સેવા "કરુણા અભિયાન" અંતર્ગત ઉતરાયણ પર્વમાં ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓની સેવા માટે સજ્જ : કોઈ પણ પશુ પક્ષી ઇજાગ્રસ્ત દેખાય તો તુરંત ૧૯૬૨ હેલ્પલાઇન ના નિ:શુલ્ક નંબર પર ફોન કરવા અનુરોધ


પશુપાલન વિભાગ, ભાવનગર અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલીત ૧૯૬૨- કરુણા એનિમલ એમ્બ્યુલન્સ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ૧૯૬૨ દ્વારા ભાવનગર જિલ્લા મા કોઈ પણ પશુ-પક્ષીઓને ઉતરાયણ પર્વ નિમિતે ખાસ કરી ને દોરી વડે ઇજાગ્રસ્ત થાય કે કોઈ પણ રીતે ઇજાગ્રસ્ત થયેલ જોવા મળે તો તરતજ ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર કોલ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.જે રીતે માનવો માટે રાજ્યમાં ૧૦૮ ની સેવા સંજીવની બની છે. તેવી જ રીતે અબોલ પશુ પક્ષીઓ માટે ૧૯૬૨ ની સેવા સંજીવની બની છે. 


અબોલ પશુઓ માટેની બોલતી એવી અને સદાએ કરુણા વરસાવતી આ સેવાની ત્રણ જેટલી ૧૯૬૨ એમ્બ્યુલન્સ ભાવનગર શહેર મા કાર્યરત રાખવામાં આવેલ છે. જે અંતર્ગત જાહેર જનતા ને અપીલ કરવામાં આવે છે કે ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર કોલ કરી કરુણા અભિયાન અંતર્ગત અબોલ જીવોની સેવામા સહયોગ આપી શકશે.


આમ, ૧૯૬૨ હેલ્પલાઇન દ્વારા વધુમા વધુ પશુ-પક્ષીઓ જીવ બચાવવા માટે આ સેવાની ત્રણ જેટલી ડોક્ટરો ની ટીમ એમ્બ્યુલન્સ સાથે ભાવનગર શહેર માં સેવા માટે ખડે પગે રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application