અડધી રાત્રે મળી CM અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી, દિલ્હી પોલીસ એકશનમાં

  • January 31, 2023 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે આરોપી વ્યક્તિ મુંડકાનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની માનસિક સ્થિતિ સારી નથી. આરોપીનું નામ જય પ્રકાશ જણાવવામાં આવ્યું છે. આ વ્યક્તિએ મોડી રાત્રે પોલીસને ફોન કરીને કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની માનસિક સારવાર ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું કે આરોપીઓએ સોમવારે રાત્રે 12.05 વાગ્યે પીસીઆર કોલ કરીને અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી હતી. કોલ પછી, દિલ્હી પોલીસ એક્શનમાં આવી અને તેની ઓળખ કરી. આરોપીની સારવાર દિલ્હીના ગુલાબી બાગમાં ચાલી રહી છે, જેના કારણે પોલીસે તેની ધરપકડ કરી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application