વજન ઘટાડવામાં લીંબુ પાણી આ રીતે થઇ શકે છે મદદરૂપ

  • January 03, 2024 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શિયાળામાં કડકડતી ઠંડીની સાથે લોકો તેમના વધતા વજનને લઈને પણ ચિંતિત થતા હોય છે. કેમ કે, શિયાળામાં આપણને ઘણીવાર વધુ ભૂખ લાગે છે. જેના કારણે આપણે દિવસભર કંઈક ને કંઈક ખાતા રહીએ છીએ. તેમાં પણ જો શારીરિક પ્રવૃત્તિ પૂરતી માત્રામાં કરવામાં ન આવે તો શિયાળામાં ઝડપભેર વજન વધવા લાગે છે. આ સ્થિતિમાં શિયાળામાં તમારું વજન નિયંત્રણમાં રાખવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

શિયાળાની સિઝનમાં લોકો પોતાના વજનને કંટ્રોલ કરવા માટે ઘણા ઉપાયો અપનાવે છે. લીંબુ પાણી આ ઉપાયોમાંનો એક ઉપાય છે. જેને ઘણા લોકો વજન ઘટાડવા માટે તેમની દિનચર્યાનો ભાગ બનાવે છે. ખાલી પેટે મધ સાથે લીંબુ પાણી પીવું એ વજન ઘટાડવાનો લોકપ્રિય ઉપાય છે. જો કે, વજન ઘટાડવાની સાથે તે અન્ય ઘણા ફાયદા પણ આપે છે. જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. ચાલો જાણીએ ખાલી પેટ મધવાળુ લીંબુ પાણી પીવાના કેટલાક ફાયદા વિશે.

​​​​​​​ભૂખ નિયંત્રિત કરે

કહેવાય છે કે ખાલી પેટ મધવાળુ લીંબુ પાણી પીવાથી ભૂખને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ કારણે તમે આખો દિવસ વધુ પડતું ખાવાનું ટાળો છો. જેથી તમને વજન ઘટાડવામાં મદદ મળે છે.


પાચન સુધારવા

લીંબુ પાણી પાચન ઉત્સેચકોનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. તેનાથી પોષક તત્વોનું વધુ સારી રીતે શોષણ થઈ શકે છે અને સંભવિતપણે વજન વ્યવસ્થાપનમાં મદદ મળી શકે છે.


બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરે

મધનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખાંડ કરતા ઓછો હોય છે. આવી સ્થિતિમાં લીંબુ પાણી સાથે મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. મધ, લીંબુ સાથે મળીને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. તે ખાંડવાળા નાસ્તાની તૃષ્ણાને પણ સંભવિતપણે ઘટાડી શકે છે.


ચયાપચય દરમાં વધારો

મધ અને લીંબુનું મિશ્રણ તમારા મેટાબોલિક રેટને વધારશે એવું માનવામાં આવે છે. જે સમગ્ર દિવસ દરમિયાન સારી કેલરી બર્ન કરવામાં ફાળો આપી શકે છે.


હાઇડ્રેટેડ રાખવું

વજન ઘટાડવા માટે આપણા માટે હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. આથી, તમે તમારી દિનચર્યામાં મધવાળા લીંબુ પાણીનો સમાવેશ કરીને તમારી જાતને સરળતાપૂર્વક અને સ્વાદિષ્ટ રીતે હાઇડ્રેટેડ રાખી શકો છો. શરીરમાં પાણીની ભરપાઈ તમને ભૂખને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.


શરીરને ડિટોક્સિફાય કરો

લીંબુ પાણીને એક અગત્યનું ડિટોક્સિફિકેશન પીણું માનવામાં આવે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરી શકે છે. તંદુરસ્ત પાચન તંત્રને પણ પ્રોત્સાહન આપે છે.


નોંધ

અહીં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે. તેનો અર્થ વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન કરવો. જો તમને કોઇ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application