રામના સૌથી મોટા ભક્ત છે આ આદિવાસીઓ, પતિ તેની પત્નીના શરીર હજારો વાર લખે રામ-રામ

  • November 18, 2023 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દુનિયામાં અનેક પ્રકારની જાતિઓ રહે છે. લોકો ઘણી જાતિઓ વિશે જાણતા પણ નથી. આ આદિવાસીઓ ગાઢ જંગલોમાં છુપાઈને રહે છે. તેમને વિશ્વની આધુનિકતા સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ બીજા બધાથી અલગ એકલા રહે છે. પરંતુ કેટલાક આદિવાસીઓએ સમય સાથે તેમની જીવનશૈલી બદલી. તેમણે સમયની સાથે પોતાની અંદર બદલાવ લાવ્યો, જેના પરિણામે દુનિયાને તેમના જીવન વિશે ખબર પડી.
​​​​​​​

ભારતમાં પણ અનેક જાતિના લોકો વસે છે.  મધ્ય ભારતમાં રહેતી એક ગુપ્ત જનજાતિ વિશે જણાવવા કે જેઓએ પોતાનું જીવન ભગવાન રામને સમર્પિત કર્યું છે. તેમના શરીર રામ નામના ટેટૂથી ભરેલું છે. એક્સપ્લોરર અને વિડિયોગ્રાફર ડ્રૂ બિન્સ્કીએ આ આદિજાતિના લોકોને નજીકથી બતાવવાનો પ્રયાસ કર્યો. તેણે રામનામી સમુદાયની તસવીરો લઈને વિશ્વનો પરિચય કરાવ્યો.

આ જનજાતિમાં બહુ ઓછી રામનામી બાકી છે. આ જનજાતિમાં માત્ર વીસથી ત્રીસ લોકો જ બચ્યા છે, જેમના આખા શરીર પર રામના નામનું ટેટૂ છે. આ લોકો મોર પીંછાનો તાજ પહેરે છે. તેઓ દિવસભર રામ નામનો જપ કરતા રહે છે. વૃદ્ધ રામનામીઓ કહે છે કે આદિજાતિના યુવાનો હવે ટેટૂ કરાવવામાં અચકાય છે. સરકારી નોકરી ઇચ્છતા યુવાનો આવું કરતા નથી. આવી સ્થિતિમાં તેમને ડર છે કે તેમના પછી આ પ્રથા ખતમ થઈ જશે. એક રામનામીએ જણાવ્યું કે તે 90 વર્ષની છે. તેના પતિએ મૃત્યુ પહેલા તેના શરીર પર હજારથી વધુ વખત રામનું નામ લખાવ્યું હતું. પણ હવે આવા લોકો બહુ ઓછા બચ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application