જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. 9 જૂનના રોજ રિયાસીમાં મા વૈષ્ણો દેવીના દર્શન કરવા જઈ રહેલા ભક્તોથી ભરેલી બસને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી, જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. ફિલ્મ સ્ટાર્સે પણ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને મૃતકો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
ઓલ આઇઝ ઓન રિયાસી હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. આ અંગે લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. દરમિયાન આલિયા ભટ્ટે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. અભિનેત્રીએ મંગળવારે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આતંકવાદી હુમલા સાથે સંબંધિત એક પોસ્ટ શેર કરી અને લખ્યું, "આ એક હૃદયદ્રાવક ઘટના છે. મારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. નિર્દોષ લોકો સામેની હિંસાએ માનવતાને હચમચાવી દીધી છે."
આ પહેલા 11 જૂને અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ પ્રતિક્રિયા આપી હતી અને રિયાસી હુમલાની નિંદા કરી હતી. તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રિયાસી આતંકવાદી હુમલા વિશે એક લેખ શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, 'ખૂબ જ આઘાતજનક. નિર્દોષ યાત્રાળુઓ પરનો આ ઘૃણાસ્પદ હુમલો ભયજનક છે. શા માટે માત્ર નાગરિકો અને બાળકોને જ નિશાન બનાવવામાં આવે છે? દુનિયાભરમાં આપણે જે નફરત જોઈ રહ્યા છીએ તે સમજવું ખૂબ મુશ્કેલ છે.
આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા ઉપરાંત વરુણ ધવન, મોહિત રૈના, પરિણીતી ચોપરા, કંગના રનૌત, રિતેશ દેશમુખ, અનુપમ ખેર અને અન્ય સેલિબ્રિટીઓએ પણ હુમલા અંગે રોષ વ્યક્ત કર્યો છે. જમ્મુ-કાશ્મીરના શિવ ખોરી તીર્થસ્થળથી કટરા જઈ રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને રવિવારે (9 જૂન) સાંજે આતંકવાદીઓએ નિશાન બનાવી હતી. જ્યારે બસ રાજૌરી જિલ્લાની સરહદે આવેલા રિયાસી જિલ્લાના પૌની વિસ્તારમાં પહોંચી ત્યારે આતંકી હુમલા બાદ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે આ હુમલા પાછળ આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાનો હાથ હોવાનું માનવામાં આવે છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે હુમલાની તપાસ માટે 11 ટીમો બનાવી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની એક ટીમે સોમવારે રિયાસીમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને NIA ફોરેન્સિક ટીમ પુરાવા એકત્ર કરવાનંશ કામ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech