ઘેટાં લીલોતરી સમજી ખાઈ ગયા ૨૭૨ કિલો ગાંજો, પછી કલાકો સુધી માર્યા કૂદકા

  • October 01, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંજા, ભાંગ કે અન્ય કોઈ નશાનું સેવન કરવાથી મનુષ્ય એટલો નશો થઈ જાય છે કે તે બધું ભૂલીને વિચિત્ર કામ કરવા લાગે છે. પરંતુ વિચારો કે જો પ્રાણીઓ માણસોની જેમ તેનું સેવન કરે તો શું થશે? તાજેતરમાં કેટલાક ઘેટાંઓએ ગાંજાના પાન ખાય લીધા હતા, તે પછી તેમની સાથે શું થયું, તે જોઈને ભરવાડ પણ દંગ રહી ગયા. આ મામલો ગ્રીસનો છે.


અહેવાલ મુજબ, તાજેતરમાં ગ્રીસના અલ્મિરોસમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. અહીં કેટલાક ઘેટાંએ મળીને ૨૭૨ કિલો ગાંજો ખાઈ લીધો, ત્યારપછી તેઓએ અજીબોગરીબ હરકતો કરવા માંડ્યા. 

lમીડિયા સાથે વાત કરતા ખેતરના માલિકે કહ્યું કે આ દ્રશ્ય જોઈને તેને હસવું કે રડવું તે સમજાતું નથી. તેમણે કહ્યું કે ગરમીના કારણે કેટલોક પાક બગડી ગયો, કેટલાક પાક પૂરમાં નાશ પામ્યો અને જે બચ્યું હતું તે ઘેટાં ખાઈ ગયા. ફાર્મના માલિક યાનિસ બૌરોનિસે કહ્યું કે ઘેટાઓઓએ લીલા પાંદડા સમજી તે ખાધા. જે બાદ તેઓ વાંદરાની જેમ કૂદવા લાગ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application