રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની નિર્મમ હત્યા કરી દેવાતાં ખળભળાટ મચી ગયો હતો. હળવદ રાજપૂત કરણી સેના દ્વારા પણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં તેમણે દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. આવેદનમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહની નિર્મમ હત્યા ખુબ જ ચિંતાજનક છે. સતત આવી ઘટનાઓ બની રહી છે. શાસન અને પ્રશાસને આવી ગંભીર ઘટનાઓ બાબતે કોઈ કડક કાર્યવાહી કરી નથી. જેથી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે, દોષીતોને કડક સજા થાય અને રાજપૂત કરણી સેના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાના તથા કરણી સેનાના પ્રમુખ નેતાઓને સારી સુરક્ષા આપવામાં આવે. છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં રાજપૂત સમાજના
અગ્રણીઓને નિશાન બનાવીને તેમની હત્યાઓ કરવામાં આવી રહી છે. જે રાજપૂત સમાજ સાખી લેશે નહીં. જો આમ જ ચાલતુ રહેશે તો આવતા દિવસોમાં નાછુટકે અમારા સમાજને અયોગ્ય માર્ગે ચાલવા પર મજબૂર કરવો પડશે. આવનારા સમયમાં આવી અન્ય ઘટનાઓ ના બને એવી અમે રાજપૂત કરણી સેના હળવદ તાલુકા અને ગુજરાત પ્રદેશ રાજપૂત કરણી સેના દ્વારા માંગ કરીએ છીએ.આ તકે હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિયસમાજના પ્રમુખ ઝાલા સુખદેવસિહ માથક, ધર્મેન્દ્રસિંહ ઝાલા ધનળા, ઈદુભા ઝાલા હળવદ, કરણીસેના પ્રમુખ વિરપાલસિહ ઢવાણા, રાજપુત કરણીસેના સોશ્યલ મીડિયા ઈનચાર્જ લક્ષ્મણસિંહ માલણીયાદ જીલ્લ ા કરણીસેના ઉપપ્રમુખ સિધ્ધરાજસિહ ઝાલા કિડી,હળવદ કરણીસેના પ્રભારી મહિપાલસિહ શિરોઈ, કરણીસેના ઉપપ્રમુખ કુલદીપસિંહ એંજાર દરેક ક્ષત્રિયસમાજના ના સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યું હતું.મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જય ભવાનીના નારા લગાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech