પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન લાલપુર જામ રેલવે સ્ટેશન પર ઉભી રહેશે

  • August 23, 2023 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

યાત્રિયોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલ્વે બોર્ડે લાલપુર જામ રેલ્વે સ્ટેશન પર પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક) ના સ્ટોપેજને મંજૂરી આપી છે.
લાલપુર જામ રેલ્વે સ્ટેશન પર પોરબંદર - શાલીમાર એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક) નો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 09.56/09.57 રહેશે. આ ટ્રેન અઠવાડિયામાં બે વાર પોરબંદરથી બુધવાર અને ગુરુવારે દોડે છે. આ ટ્રેન 23.08.2023 (બુધવાર) થી લાલપુર જામ સ્ટેશન પર ઉભી રહેશે.
તેવી જ રીતે, વળતરની દિશામાં, લાલપુર જામ રેલ્વે સ્ટેશન પર શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક) નો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 13.40/13.41 કલાકનો રહેશે. આ ટ્રેન અઠવાડિયામાં બે વાર શાલીમારથી શુક્રવાર અને શનિવારે દોડે છે. 25.08.2023 (શુક્રવાર) થી, શાલીમાર સ્ટેશનથી ચાલતી ટ્રેન તેના સમયપત્રક મુજબ લાલપુર જામ રેલ્વે સ્ટેશન પર ઉભી રહેશે.
ઉપરોક્ત બન્ને ટ્રેનો માટેની ટિકિટનું બુકિંગ નિર્ધારિત PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application