'નવી જંત્રી જ અમલમાં રહેશે, નિયમમાં ફેરફાર હશે તો જણાવીશું’: ઋષિકેશ પટેલ

  • February 08, 2023 12:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં જંત્રીને લઈ મોટો નિર્ણય લેવાયો છે. સરકારે રાજ્યમાં જંત્રી દરમાં બમણો વધારો કર્યો છે. સમગ્ર રાજ્યમાં સોમવારથી જ  આના પર અમલ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં આ દર છેલ્લાં 12 વર્ષોથી વધ્યાં નહોતાં. હવે તેમાં સીધો ડબલ વધારો કરવામાં આવ્યો છે. જે અંગે આજે સરકારે વધુ સ્પષ્ટતા કરી છે.

આજરોજ જંત્રીના ભાવ અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘હાલ નવી જંત્રી અમલમાં રહેશે. સરકારે બિલ્ડરોની રજૂઆત સાંભળી છે પણ જો નિયમમાં ફેરફાર હશે તો જાણ કરવામાં આવશે.’


નોંધનીય છે કે, બિલ્ડર એસોસિએશન તરફથી જંત્રી બાબતે રજૂઆત કરાઈ હતી કે, 100 ટકાની જગ્યાએ 50 ટકા જંત્રી વધારો અને  અમલ પણ મે મહિનાથી કરવામાં આવે પરંતુ સરકારે જે નક્કી કર્યુ છે તે જ અમલમાં રહેશે તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

​​​​​​​

વધુમાં તેમણે કહ્યું હતું કે, 4 તારીખ સુધીમાં દસ્તાવેજ લેવાઈ ગયા હોય અને એક્ઝિક્યુટ થઈ ગયા હોય તે બધી અરજી પર જૂની જંત્રી લાગુ પડશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application