જગત મંદિરમાં યાત્રાળુઓના ગુમ થયેલા પર્સ-દાગીનાને પોલીસ તંત્ર દ્વારા શોધી અપાયા

  • January 24, 2023 07:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં ખાતે ગઈકાલે સોમવારે મહા વદ બીજના પવિત્ર દિન મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. આ યાત્રાળુઓમાં અતુરલખમીબેન નામના એક પરપ્રાંતિય મહિનાનું પર્સ મંદિર પરિસરમાં ગુમ થયું હતું. જે અંગે તેમના દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા ફરજ પર રહેલા એ.એસ.આઈ. જોશીભાઈ તથા જી.આર.ડી. સભ્યના ભારતીબેન ચાનપાએ આ પર્સ શોધી કાઢી, તેમાં રહેલા રૂપિયા ૫,૦૦૦ રોકડા તથા રૂપિયા ૫૫,૦૦૦ ની કિંમતના સોનાના મંગલસૂત્ર સહિતનો મુદ્દામાલ ખાતરી કરાવી અને યાત્રાળુને સોંપવામાં આવ્યો હતો.




અન્ય એક બનાવમાં ચેન્નઈથી અત્રે આવેલા ગુણેવરીબેન નામના દર્શનાર્થી મહિલાનું રૂપિયા ૩,૫૦૦ રોકડા તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથેનું પર્સ ગુમ થયાની જાણ કરવામાં આવતા પોલીસ કર્મચારીઓએ તપાસ કરી આ પર્સ શોધી આપી અને તે મહિલાને સોંપ્યું હતું.
પોલીસ તંત્રની આ ઝડપી અને સેવાલક્ષી કામગીરીથી યાત્રાળુઓમાં આનંદ સાથે આભારની લાગણી જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application