સાસુ–સસરાની હાજરીમાં પતિના કરતુતોથી ત્રાસી ગયેલી પરિણીતાની પોલીસ ફરિયાદ
શહેરના કાલાવાડ રોડ પર જડૂસ બ્રિજ પાસેના વિસ્તારમાં રહેતી પરિણીતા પર વડોદરા સ્થિત પતિ શ્રીધર ભગવાનદાસ ભાવનાણી, સસરા ભગવાનદાસ લમણદાસ, સાસુ સુનિતાદેવી અસહ્ય ત્રાસ ગુજરાતા હોવાના આરોપસર મહિલા પોલીસ મથકે ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની વિગતો અને આરોપો મુજબ ૧૮ વર્ષ પહેલા ૨૦૦૫માં રાજકોટની યુવતીના લ વડોદરા નવા સમા રોડ ચાણ્યપુરી પાસેની મનોરથ સોસાયટી ઈ૧૯૯માં રહેતા શ્રીધર સાથે થયા હતા. લના બે વર્ષ બાદ પતિ, સાસુ–સસરાએ સિતમ ગુજારવાનું ચાલુ કર્યુ હતું.
પીવાની ટેવ ધરાવતો પતિ હેરાન કરતો, પત્નીને નોકરીએ જવા દબાણ કરતા મહિલા ખાનગી સ્કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતી હતી. પગાર પરાણે લઈ લેવો, ધમકાવે ના પાડે તો મારકૂટ કરે. દારૂડિયા પતિએ હદ વળોટવાનું ચાલુ કયુ પરિણીતાને પરાણે દારૂ પીવડાવતો દારૂ પીવડાવીને ન હાલતમાં કે આવી કઢંગી સ્થિતિના ફોટા પાડી લેતો હતો. બાદમાં જો પરિણીતા પતિ, સાસુ–સસરાના ત્રાસનો વિરોધ કરે તો ફોટા બતાવવા કે અન્યોને બતાવવાની ધમકી આપતો હેરાન કરતો હતો.
નશામાં ભાન ભુલીને ન બોલવાનું બોલે, મારકૂટ કરતો હતો. જો પરિણીતા વિરોધ કરે કાંઈ બોલે તો ધમકાવે કે જો ઘરની વાત કોઈને કહીંશ તો તારા મોં પર એસિડ ફેંકીશ, તારા ટૂકડા કરી નાખીશ. આ બધી વાતો સાસુ–સસરા જાણતા હતા છતાં દારૂડિયા પતિને કાંઈ કહેવાના બદલે ઉલટાના પુત્રને સાથ આપતા હતા અતિશય ત્રાસ અને અંતે ઘરેથી કાઢી મુકતા મહિલા ગત એપ્રિલ માસમાં પીયર રાજકોટ પરત ફરી હતી. અગાઉ પણ માથાકૂટ થતી અને સમાધાન થતું કહેતા કે હવે કાંઈ હેરાન નહીં કરીએ. હવે ત્રાસ અસહ્ય થતાં ઉપરોકત આરોપો મુજબ પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અંગે સત્ય શું છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech