બજેટમાં પ્રવાસન વિભાગના વિકાસ માટે ૨૦૯૮ કરોડની જોગવાઇ
રાજ્યના બીચ, પ્રવાસન સ્થળો અને યાત્રાધામો અધ્યતન ટેકનોલોજીથી વિકસાવાશે
નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું ૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. સરકારે લોકોને રાહત આપતા કોઇ નવા કરવેરા લગાવ્યા નહોતા. જૂના કરવેરાને યથાવત રાખવામાં આવ્યા છે. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાત વિદેશી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે બજેટમાં પ્રવાસન વિભાગના વિકાસ માટે ૨૦૯૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત થયેલા બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ ૨૦૦ કરોડના કામ પ્રગતિ હેઠળ છે. ઉપરાંત સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ માંડવી, મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે ૨૦૦ કરોડના આયોજન પૈકી ૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નડાબેટ સીમાદર્શન પ્રોજેકટની સફળતાથી પ્રેરાઇને રાજ્યના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરે માટે ૧૪૫ કરોડના આયોજન પૈકી ૪૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, તો અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલસફારી તેમજ ઈકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે ૧૭૦ કરોડના આયોજન પૈકી ૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રામનગરી અયોધ્યાધામ ખાતે પણ ગુજરાતીઓ માટે ખાસ આયોજનના ભાગરૂપે યાત્રી નિવાસ માટે ૫૦ કરોડના આયોજન પૈકી ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યના અલગ અલગ જિલ્લાના મહત્વના પ્રવાસી સ્થળોએ સુવિધાઓ પૂરી પાડવા માટે ૩૦ કરોડની જોગવાઇ છે અને જુદા જુદા સ્થળો ખાતે રોકગાર્ડન, સ્ક્લ્પચર, સ્કાય વોકના વિકાસ માટે ૨૦૦ કરોડના આયોજન પૈકી હાલ ૮૦ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે.
ભારત સરકારની પહેલ "ટ્રાવેલ ફોર લાઇફ" ના ઉદ્દેશને પ્રોત્સાહન આપવા, એમઆઈસીઇ એટલે કે, મીટીંગ, ઇન્સેન્ટીવ, કોન્ફરન્સ, એક્સ્ઝીબીશન અને પ્રવાસન તેમજ સસ્ટેનેબલ ટુરિઝમ વિશે જાગૃતિ લાવવા ૧૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જુનાગઢ ખાતે આવેલ ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્યનાં જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે ૨૦૦ કરોડના આયોજન પૈકી ૩૫ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. એટલું જ નહી ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ તરીકે વિકસાવવાની કામગીરી માટે ૪૮૦ કરોડના આયોજન પૈકી ૧૦૦ કરોડની ફાળવણી કરાઈ છે.
યાત્રધામ પાવાગઢ યાત્રાધામના સર્વાંગી વિકાસ અર્થે કુલ ૧ર૧ કરોડના ખર્ચે પ્રથમ બે તબકકાની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે અને ત્રીજા અને ચોથા તબકકામાં કુલ ર૩૮ કરોડના ખર્ચે માંચી ચોક, ચાંપાનેર અને વડા તળાવ ખાતે યાત્રાળુલક્ષી સુવિધાઓની કામગીરીનું આયોજન કરાયું છે. અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું કુલ ૧૧૭ કરોડના ખર્ચે આયોજન છે તો શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે `૭૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન કરાયું છે. ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં અગત્યતા ધરાવતાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા ૪૬ કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન થશે. વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખુબ જ અગત્યતા ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે ૭૯ કરોડની જોગવાઈ કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવરાયની ગૌરવવંતી જાનનું સુદામાપુરીમાં થયું સ્વાગત
April 11, 2025 02:12 PMવોર્ડ નં-૬ ના લોકો મોદીને ચોથી વાર જોવા માંગે છે વડાપ્રધાન તરીકે!
April 11, 2025 02:11 PMશીંગડા ગામે ભાજપના આગેવાનોએ ગ્રામજનો સાથે કરી ખાસ મુલાકાત
April 11, 2025 02:10 PMલાભ મેળવનાર લોકોની ભાજપના આગેવાનોએ લીધી મુલાકાત
April 11, 2025 02:09 PMપોરબંદર તરસ્યુ રહે નહી તે માટે મનપા દ્વારા હાથ ધરાયા પ્રયાસો
April 11, 2025 02:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech