મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રૂ.૩૬ કરોડના ખર્ચે ભાણવડ ત્રણ પાટિયાથી લાલપુર સુધીના રસ્તાના રી-સર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

  • May 26, 2025 06:44 PM 

મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રૂ.૩૬ કરોડના ખર્ચે ભાણવડ ત્રણ પાટિયાથી લાલપુર સુધીના રસ્તાના રી-સર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું


પ્રવાસન, વન અને પર્યાવરણ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ રૂ.૩૬ કરોડના ખર્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ત્રણ પાટિયાથી જામનગર જિલ્લાના લાલપુર સુધીના રસ્તાના રી-સર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.  

આ પ્રસંગે અગ્રણી પાલાભાઈ કરમૂર, હમીરભાઇ કનારા, ગોવિંદભાઈ કનારા,પ્રિયેશભાઈ અનડકટ, અજયભાઈ કારાવદરા સહિત સ્થાનિક આગેવાનો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, જામનગર-લાલપુર-પોરબંદર રોડ (SH-27) પર ગુજરાત સરકારશ્રીની ગ્રાન્ટ માંથી જામનગર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા લાલપુર થી ત્રણ પાટીયા સુધી ૩૦ કી.મી.ના ૧૦ મીટર પહોળા રોડનું રી-કાર્પેટીંગ કરવાનું આયોજન છે. આ રાજ્ય ધોરી માર્ગ જામનગર-પોરબંદરને જોડતો તથા જામનગર જિલ્લા મથકને આસપાસના ગામો જેવા કે લાલપુર, ધરમપુર, મોટી ગોપ, ભાણવડ, જામજોધપુર, રબારીકા વગેરેને જોડતો મોટી સંખ્યામાં વાહનોની અવરજવર ધરાવતો માર્ગ છે. જામનગર ખાતે આવેલ જી.જી. હોસ્પિટલ, એ.પી.એમ.સી., કારખાનાઓ વગેરે માટે નાગરિકોને ઉપયોગી તથા માલ-સામાન પરીવહન માટે ખૂબ જ અગત્યનો રસ્તો છે. આ રી-કાર્પેટની કામગીરી થવાથી વાહનવ્યવહારમાં સુગમતા વધશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application