ખૂબ ઝડપથી વિકસીત થઇ રહેલાં જામનગર-ખંભાળીયા રોડ પર જમીનોની કિંમત આસમાને પહોંચી રહી છે ત્યારે લાખાબાવળના ચોક્કસ સર્વે નંબરમાં ફુલ-ઝાડ અને નાળિયેરીના વાવેતરના હેતુ માટે સરકાર દ્વારા અપાયેલી જમીનને હેતુ ફેર કરાવીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની કથિત વિગતો પ્રકાશિત થયા બાદ આજે જામનગરના જિલ્લા કલેક્ટર બી.એ. શાહ સાથે આજકાલ દ્વારા વાતચીત કરવામાં આવતાં એમણે કહ્યું હતું કે, આ જમીન સંબંધેની ફાઇલોનો સૌપ્રથમ અભ્યાસ કરવામાં આવશે અને જરુર જણાયે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, લાખાબાવળમાં કરોડોની જમીન પર ખેલ પાડવામાં આવ્યો હોવાની જે વિગતો ચર્ચાઇ રહી છે તેમાં, રાજકીય ઓથ ધરાવતાં નાનું કદ પણ મોટું નામવાળા એક બિલ્ડર અને તેની સાથે કેટલાંક મોટા માથા પ્રકરણમાં સામેલ હોવાનું કહેવાય રહ્યું છે, આ પ્રકરણ સંબંધે જિલ્લા કલેક્ટર તપાસ કર્યા બાદ શું પગલાં લે છે...? તેના પર સૌની મીટ મંડાઇ રહી છે.
જિલ્લા કલેક્ટરે વધુમાં કહ્યું હતું કે, આ સમગ્ર પ્રકરણમાં હકીકત શું છે...? તે અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, આ પ્રકરણમાં મ્યુ. કમિશ્નરની કોઇ ભૂમિકા હોતી નથી, કારણ કે તેમના કાર્યક્ષેત્રમાં આવતું નથી, ત્યારે હાલ તો સમગ્ર પ્રકરણ અંગે તમામ પાસાની તપાસ કરવામાં આવી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ લાખાબાવળમાં આવેલા કેટલાંક સર્વે નંબરની જુની નોંધમાં, નાળીયેરી વાવેતર હેતુ માટેની જમીન આપવામાં આવી હોવાનું ખૂલ્યું છે, જેને હેતુફેર કરાવીને એક જાણીતા બિલ્ડરે બીનખેતી કરાવી લીધાના આક્ષેપ પણ થઇ રહ્યા છે, ફુલઝાડના હેતુ માટેની જમીન બીનખેતી થઇ અને તેનું વેંચાણ પણ થઇ રહ્યું હોવાની વિગતો ધીરે ધીરે ખુલી રહી છે, જો કે, આ સમગ્ર પ્રકરણમાં હાલ તો બીજું કોઇ બોલવા-કહેવા તૈયાર નથી.
લાખાબાવળના આ જમીન પ્રકરણ અંગે હાલ તો ધીરે-ધીરે તપાસ થઇ રહી છે, આગામી દિવસોમાં તેના કેવા પડઘાં પડશે...? તેના પર બધાંની નજર છે, પરંતુ કલેક્ટરના જણાવ્યા મુજબ આ જમીન પ્રકરણ કલેક્ટરના કાર્યક્ષેત્રમાં આવે છે અને તેમાં મ્યુ. કમિશ્નરને કોઇપણ જાતના લેવા-દેવા નથી, આમ લાખાબાવળ જમીન પ્રકરણે જિલ્લાભરમાં ભારે ચર્ચા જગાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech