ભારતીય ક્રિકેટ ટીમ ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ 22 જુલાઈએ શ્રીલંકા પહોંચી હતી, જ્યાં ટીમે 23 જુલાઈથી પ્રેક્ટિસ સેશન પણ શરૂ કરી દીધા છે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરની આ પ્રથમ મેચ છે અને સૂર્યકુમાર યાદવનો ઓલ ટાઈમ T20 કેપ્ટન તરીકેનો પ્રથમ પ્રવાસ છે. ટીમ ઈન્ડિયાએ ICC T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીત્યું અને રોહિત શર્મા, વિરાટ કોહલી સાથે રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી.
હાર્દિક પંડ્યા ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન હતો, પરંતુ જ્યારે શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે કેપ્ટનશિપ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી હતી. વાસ્તવમાં, હાર્દિક પંડ્યા ઈજાના કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે, તેથી સૂર્યાને કેપ્ટનશિપ માટે વધુ સારો વિકલ્પ માનવામાં આવતો હતો.
જ્યારે ભારતીય ટીમ પ્રેક્ટિસ માટે ટીમ બસમાં પહોંચી ત્યારે હાર્દિક પંડ્યા તેની જૂની સ્ટાઈલમાં જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યા માટે છેલ્લા કેટલાક દિવસો સરળ રહ્યા નથી. તેને ટી20 ટીમની કેપ્ટનશીપ પણ નથી મળી અને તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે તે અને નતાશા સ્ટેનકોવિક હવે સાથે નથી. નતાશા અને હાર્દિકના લગ્ન 2020માં થયા હતા.
ટી20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ પાંચ મેચની ટી20 ઈન્ટરનેશનલ સીરીઝ રમવા ઝિમ્બાબ્વે ગઈ હતી, પરંતુ ત્યારબાદ ટીમના ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. શુભમન ગીલની કપ્તાનીમાં ભારતે ઝિમ્બાબ્વેમાં પાંચ મેચોની શ્રેણી 4-1થી કબજે કરી હતી. ભારત vs શ્રીલંકા T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની વાત કરીએ તો, તે 27 જુલાઈથી 30 જુલાઈ સુધી પલ્લેકલેમાં રમાશે. શ્રેણીની પ્રથમ બે મેચ 27 અને 28 જુલાઈએ રમાશે જ્યારે છેલ્લી મેચ 30 જુલાઈએ રમાશે. આ પછી ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી પણ રમાવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech