સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવા અંગે સૂચન કરેલ છે.
જે અન્વયે આગામી તા.૨૫/૦૧/૨૦૨૩ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદારશ્રી તેમજ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ, લાલપુરના અધ્યક્ષસ્થાને મામતલદાર કચેરી, લાલપુર, જામનગર ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે.
આગામી તા.૧૦/૦૧/૨૦૨૩ સુધીમાં અરજદારોએ તેમની અરજી પૂરતા પૂરાવાઓ સાથે 'તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ'ના મથાળા હેઠળ મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, લાલપુરને મોકલી આપવાની રહેશે. નિશ્ચિત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ત્યારબાદના માસના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ધ્યાને લેવામાં આવશે.
આ અંતર્ગત, આગામી તા.૨૫ જાન્યુઆરીના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા માટે અરજદારે નીચે જણાવેલ પ્રકારની અરજીઓ પૂરતા પુરાવા સાથે મોકલી આપવાની રહેશે.
(૧) તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો તે ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામસેવકશ્રીને પ્રથમ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત રહેલ હોય.
(૨) તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોય અને તે અનિર્ણિત હોય.
(૩) રજૂ કરવાના પ્રશ્નો ગ્રામ તથા તાલુકા કક્ષાએ નિર્ણય/નિકાલ કરી શકાય તેવા હોવા જોઈએ.
(૪) આ કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે કાર્યક્રમની નિયત તારીખે હાજર રહેવાનું રહેશે.
(૫) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. એક અરજીમાં સામુહિક રજુઆતો કરી શકશે નહીં તેમ મામલતદાર કચેરી, લાલપુરની યાદીમાં જણાવવામાં આવે છે. લાલપુર તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech