સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં : ગજાનંદધામ મંડળના કાર્યકરો પહોંચ્યા બાલાજી મંદિર

  • September 15, 2023 12:41 PM 


રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં આવ્યા છે. કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં બાલાજી મંદિરના સ્વામીએ વિવાદ સર્જ્યો છે. ગજાનંદ ધામ મંડળને ગણેશ ઉત્સવ ન યોજવા દબાણ કરવામાં આવ્યું. ગજાનંદ ધામ મંડળ દ્વારા ગ્રાઉન્ડનું ભાડું ભર્યું છતાં આયોજન ન કરવા દેવા દબાણ. ગઈકાલે તૈયાર કરેલું સ્ટેજ વિવેક સાગર સ્વામીના ચાર માણસોએ તોડી પાડ્યું. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી. આજે 11 વાગ્યે ગજાનંદ ધામ મંડળ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી. બાલાજી મંદિરનું ગેરકાયદેસર બાંધકામને લઈને વિવાદ પણ ચાલી રહ્યો છે. સાળંગપુર મંદિર વિવાદ હજુ સમ્યો નથી ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ગણેશ મહોત્સવ ન કરવા દઈ નવો જ વિવાદ સર્જ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application