ભરણપોષણની ચડત રકમ ન ચુકવતા પત્નિ અદાલતના શરણે

  • February 06, 2023 06:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં રણજીત રોડ, લંઘાવાડ ઢાળીયા ખાતે રહેતી મુસ્લિમ પરણીતા મહેજબીન એજાજ મિઠવાણી ડોટર ઓ. યુસુફ હાસમ સમા તેણીના હુજરા ફળી, રંગુનવાલા દવાખાના પાસે, જામનગર મુકામે રહેતા પતિ એજાજ ઉર્ફે જામ અબ્દુલા મિઠવાણી તથા સાસરીયા વિરુદ્ધ જામનગરની અદાલતમાં ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ કેસ કરેલ હતો. જે કેસ અન્વયે વચગાળાનું કેસ ચાલી જતા કોર્ટે પતિ દ્વારા પત્નીને વચગાળાનું ચડત ભરણપોષણ ચુકવવા હુકમ કરેલ હતો.


જે અન્વયે ભરણપોષણ અને જીવન નિર્વાહના તથા હાલનાકેસના ખર્ચ પેટેના મળીને કુલ રકમ રૂ. ૨૨,૦૦૦ પુરા પતિ તેની પત્નિને વસુલ ન આપતા પત્નિ તે રકમ વસુલ મેળવવા અદાલતમાં કેસ દાખલ કરતા કોર્ટે પતિને હાજર થવા નોટીસનો હુકમ કરેલછે. મુસ્લીમ પરણીતા તરફે વકીલ ઉમર એ. લાકડાવાલા રોકાયેલ છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application