સુપ્રીમ કોર્ટે ખાનગી ક્ષેત્રની એરલાઇન સ્પાઇસજેટને મોટી રાહત આપી છે. કોર્ટે સ્પાઇસજેટ વિરુદ્ધ સન ગ્રુપ અને કાલ એરવેઝના પ્રમોટર કલાનિતિ મારનની અરજીને ફગાવી દીધી છે. આ અરજી દ્વારા સ્પાઈસ જેટની તરફેણમાં દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેંચના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. ડિવિઝન બેન્ચે સ્પાઈસજેટને મારનને ₹270 કરોડ પરત કરવાનો નિર્દેશ આપતા સિંગલ-બેન્ચના આદેશને રદ કર્યો હતો. આ પછી કલાનિધિ મારને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.
હવે સુપ્રીમ કોર્ટે ડિવિઝન બેન્ચના નિર્ણયને યથાવત રાખ્યો છે અને કેસને નવી સિંગલ બેંચને નવેસરથી વિચારણા માટે મોકલી આપ્યો છે. જો કે, સર્વોચ્ચ અદાલતે અગાઉના સિંગલ બેન્ચના આદેશની ટીકા કરી હતી અને તેને ક્રૂર ગણાવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિયેશન એક્ટ, 1996ની કલમ 34 હેઠળ કેસના અપૂરતા હેન્ડલિંગ પર ભાર મૂક્યો હતો. આ સાથે તેમણે નવા સિંગલ જજ દ્વારા કેસની સંપૂર્ણ પુનર્વિચારણાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
બેન્ચે 31 જુલાઈ, 2023ના રોજ આપેલા સિંગલ જજના આદેશને પડકારતી સિંઘ અને સ્પાઈસજેટની અપીલોને મંજૂરી આપી અને આર્બિટ્રેશન ટ્રિબ્યુનલને પડકારતી અરજીઓ પર નવેસરથી વિચારણા માટે મામલો પાછો સંબંધિત કોર્ટમાં મોકલ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકૉંગ્રસે સંગઠનને લઈને કામગીરી હાથ ધરી, બે દિવસ કાર્યકરો અને આગેવાનોને સાંભળશે
April 25, 2025 06:33 PMગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને ગુજરાત સુપર લીગ સિઝન 2ની ઘોષણા કરી
April 25, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech